________________
પ૭૦
" શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કે, લેક જેમ વિશાળ છે તે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ પદાર્થો પણ તેટલા જ પ્રમાણમાં વિશાળ છે. આવું પણ કઈ કાળે બનતું નથી કે કાકાશના એક ભાગમાં ધર્માસ્તિકાયને અને બીજા ભાગમાં અધર્માસ્તિકાયને પ્રદેશ રહેતું હોય?
હે ગૌતમ! મારા જૈન શાસનમાં કપોળ કપિત કે મન ઘડંત ઠંડા પાણીના ગપ્પા કે ગધેડાના સિંગ ઉઘાડવા જેવી કલ્પના છે જ નહીં.
કેમકે કેવળજ્ઞાનના માલિક અરિહંતેને સંસાર જેવા સ્વરુપે છે તેવા પ્રકારે જ “રામાવદિશ્વ ” સ્પષ્ટ દેખાય છે, માટે હું કહું છું જે પ્રદેશમાં કાકાશ છે તે જ પ્રદેશમાં જ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયના પ્રદેશ વિદ્યમાન છે. છતાં પણ બધાઓનું મિશ્રણ થયું નથી, થતું નથી અને થશે નહી. તેવી રીતે કેઈને પણ પિતાને ધર્મ છોડવાને હોતો નથી. ૧૪ રજજુલેકમાં ધર્માસ્તિકાયાદિ વ્યાપ્ત થઈને રહ્યાં છે. આ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશે પણ વ્યાપ્ત છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં, સિદ્ધશિલામાં કે નરક આદિમાં પગલાસ્તિકાયની સત્તા રહેલી જ છે. ઉદાહરણરુપે મનુષ્ય, હાથી, કીડી, કંથુ કે વનસ્પતિ આદિ ચેતન પદાર્થોમાં જીવાસ્તિકાય અને પગલાસ્તિકાયને અનુભવ સ્પષ્ટ થાય છે. કેમકે શરીરના અંગો તથા ઉપાંગો પૌગલિક છે, તેવી રીતે પૌગલિક પદાર્થો આકાશાસ્તિકાય વિનાના હોતા નથી, અન્યથા પગમાં કાંટો, ખીલે કે ટાંચણી આદિ પદાર્થો શી રીતે ઘુસી જાય છે? લેખંડના ગેળામાં અગ્નિને પ્રવેશ આકાશને આભારી છે. આ બધી વાતે કેવળજ્ઞાનીના કથનાનુસાર સદ્વિવેક અને સદુબુદ્ધિથી પણ નિર્ણત થઈ જાય છે.