________________
૫૮૮
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વેષની માત્રા સિવાય બીજી કલ્પના કઈ કરવાની? અમુક રસવતી (ભજન) આરોગતા મનની પ્રસન્નતા ખૂબ રહી અને
જ્યાં અણગમતી દાળ કે શાકનું નામ સાંભળ્યું કે ભાઈ સાહેબને બધાય ટેસ્ટ જય સિયારામ થઈ જાય છે. આમ થવામાં દાળ કે શાક તે બિચારા જડ હોવાનાં કારણે દ્વેષ રહિત છે ત્યારે ખાનાર જ ટૅપ પૂર્ણ છે તેમ માનવામાં તમને કંઈ વાંધો છે?
ઈત્યાદિ કારણોથી જાણી લેજે કે “તેષ પાપ જ છે માટે કહેવાયું છે કે “ઉગ્રવિહારીને તપ જપ ક્રિયા કરતા, દ્વેષ તે ભવમાંહે ફરીયા...” (૨) રોષઃ માઝા મારા (ઓપ. ૧૬)
તોષા માઝા રિળી દા (જીવા. ૨૭૭)
બંને સૂત્રને અર્થ એક જ છે કે સારા નિમિતે માં રહેવા છતાં અને પવિત્રતમ સ્થાનમાં બેઠેલા હોઈએ ત્યારે પણ નિમિતે મળતા આપણા માનસિક અને આધ્યાત્મિક જીવનમાં જે મલિનતા આવે છે, તેમાં દ્વેષભાવ જ કામ કરી રહ્યો છે.
સામેવાળી વ્યક્તિ જ્યારે આપણી વાત ન માનતી હોય, આપણું સત્તાને પડકારતી હોય, આજ્ઞા વિરુદ્ધ કાર્યો કરવાની ટેવવાળી હોય ત્યારે માનવનું મન ઠેષ સંજ્ઞાવાળું થઈને લેશ્યાઓમાં બગાડ લાવ્યા વિના રહેતું નથી. પિતાની ગરજની વાત સાંભળવી ગમી ગઈ પણ તે જ માણસ જ્યારે અણગમતા વિષયેની વાત કરે છે ત્યારે આપણું મન કલુષિત થતાં જ લાલ પીળું થાય છે, આમાં પણ દ્વેષ જ છુપાયેલું છે.