________________
૪૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
તે સમયે સામિલને આ વાતની ખબર પડી કે ભગવાન મહાવીરસ્વામી પધાર્યાં છે, તે હું પણ તેમની પાસે જાઉં અને જુદી જુદી જાતના પ્રશ્નો પૂછીશ અને તેમના જવાબ દિ યથાથ રૂપે આપશે તે ભગવંતની પ`પાસના કરીશ, અન્યથા તેમને નિરુત્તર કરીશ. આમ નક્કી કરીને સ્નાન કર્યું, વસ્ત્રો પહેર્યા, મંગળ પ્રાયશ્ચિત કર્યાં અને ઘરથી બહાર આવ્યેા. પેત્તાના શિષ્યાને સાથે લઇને કૃતિ પલાશ ઉદ્યાનમાં આવ્યા અને થોડે દૂર ઉભા રહીને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછ્યાં :
(૧) હું પ્રભા ! આપ શ્રીમાનને યાત્રા છે ?
(૨) હે નાથ ! આપશ્રીને યાપનીય છે? (૩) આપશ્રી અવ્યાબાધ છે ?
(૪) અને આપને પ્રાસુક વિદ્વાર છે?
જવાબ આપતા પ્રભુએ કહ્યું કે હે સામિલ ! મને યાત્રા છે, યાપનીય છે, અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે.
આપશ્રીને યાત્રા શું છે?
ભગવતે કહ્યું કે તપ, નિયમ, સયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક યાગામાં યતના એટલે જ્ઞાનપૂર્વક મારા આત્મા વમાન છે. કેમકે કર્માંના ભારથી મુક્ત થવા માટે અને આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા માટે ઉપર પ્રમાણેની મને યાત્રા છે. વિશેષાથ આ છે:
(૧) તપ :-સ્વીકારેલા સંયમની રક્ષા માટે તથા પૂર્વકૃત કર્મોની નિર્જરા માટે ઉપવાસાદિ સમ્યક્ પ્રકારે કરાય તે તપ છે. જે કરાયેલા પાપાનેા છેઃ કરાવનાર દસ પ્રકારના પ્રાયશ્ચિતમાં વિદ્યમાન તપ વિશેષ છે.