________________
૪૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩. પરંતુ જેનું પેટ કેઈ કાળે ન ભરાય, ભરાયેલા પટારા પણ ખાલી જેવા લાગે અને લાખે નદીઓના તેફાની પૂરથી સમુદ્ર જેમ તૃપ્તિ ન પામે તેવી રીતના પરિગ્રહ નામના રાક્ષસનું પેટ પણ ભરાતું નથી. લાખ કરોડોની માલમતા ઘરમાં આવ્યા પછી તમારી આશા અને તૃષ્ણ આકાશની જેમ, અથવા મેટું ઉઘાડું રાખીને બેઠેલી રાક્ષસીની જેમ હમેશા ભૂખીની-ભૂખી રહેશે.
અને વધી ગયેલે કે વધારી દીધેલ પરિગ્રહ-કામદેવને સહચારી મિત્ર હોવાથી તેના તફાને સૌને નડ્યા વિના રહ્યાં નથી, કેમકે થાકી ગયેલા શરીરમાં શક્તિને પુનઃ સંચાર કરવા માટે તેને જુદી જુદી રસવતી વાનગીઓને રસ વધવા પામશે. ફાર્મસીએની પૌષ્ટિક ઔષધિઓ માટે લાલસા જાગશે, કપડાએથી શરીરને શણગારવામાં વૃત્તિ તથા પ્રવૃત્તિ વધશે, એમ કરીને મરી ગયેલા કે મરવાની અણી પર આવેલા કામદેવને સૂતેલા સર્ષની જેમ ફરીથી ભડકાવશે. આ બધે પ્રતાપ પરિગ્રહને છે કેમકે –
પાલે પતિ ખાય છે, તાકે સતાવે કામ; દૂધ-દહિ, મલાઈ માટે, તાકી જાણે શ્રીરામ.”
આ બધી વાત જાણીને સમિલે પરિગ્રહને નિયંત્રણમાં લેવા માટે જુદા જુદા નિયમે સ્વીકાર્યા. ૧) સેનું-ચાંદી–હીરા-મોતી આદિના આભૂષણેને હું નવા
કરાવીશ નહી, મારા શરીરે ધારીશ નહી. મર્યાદામાં કરેલા સુવર્ણાદિ દ્રવ્યને વધારવા માટે પણ હું કઈ કાળે પ્રયત્ન કરીશ નહી. વધારાના વ્યાપાર, રોજગારે, બંધ કરીશ તથા નવા વ્યાપારે, પેઢીએ, કેકટરીઓ આદિને પ્રારંભ કરીશ નહી.