________________
૫૧૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ -સર્જાય તે પણ સ્થાપનાજી સિવાય બીજા કેઈને જોઈશ નહી, કેઈની વાત સાંભળીશ નહી અને બેલીશ નહી. ઉપર પ્રમાણે તે
મિલ સામાયિક વ્રત દ્વારા પોતાના આત્માને શિક્ષિત કરતે ગયે. (૨) દેશાવગાસિક શિક્ષાવત :
સંસારને મેહરૂપી ઝેર ચડાવવાથી ચડે છે અને ઉતાર-વાથી ઉતરે છે. તેમ સમજીને જ્યારે પણ તે સોમિલ દુકાન
વ્યાપાર અને વ્યવહારથી છુટે પડે છે ત્યારે સામાયિકેની સંખ્યામાં વધારે કરવાની ટ્રેનિંગ લે છે અને સામાન્ન ગતિમા વારા દિવસમાં જેમ વધારે બને તેમ સામાયિક કરે છે. કેમકે સંસારના ઓટલા કલબો, ગપ્પી મિત્રે, ગંદા વિચારના માન, જુઠા બેલા માન અને મેહ માયાની સ્મૃતિ અપાવનારા માણસે આપણું આત્માના દુશમને સમજવા, અને પંચમહાવ્રતધારી ગુરુદેવે, જિનમંદિરે, ધમ પુરુષને સહવાસ પરમ મિત્ર છે. (૩) પૌષધવ્રત:
સમિલ સમજતે થયું કે મુનિધર્મનું આચરણ કરવા માટે પૌષધવ્રત અનિવાર્ય છે. કેમકે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાને કાબૂમાં આવતા શેષ રહેલી સંજ્ઞાઓ પણ નિર્મૂળ થતા વાર લાગતી નથી. શરીર શણગાર મેહરાજાને ભડકાવનાર હોવાથી પૌષધમાં તેને ત્યાગ જરૂરી છે. તેવી રીતે ૨૪ કલાકમાં મિથુન કર્મના સંસ્કારને કાબૂમાં લેવા માટે પૌષધ સિવાય બીજો માર્ગ નથી. કેમકે જે ઘરમાં રહેતા હોઈએ તેની એક એક વસ્તુ આપણને આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ખેંચી જવા માટે સમર્થ છે, તથા મન-વચન અને કાયાના વ્યાપારે પણ પૌષધથી મર્યાદિત થાય છે. આ કારણે પર્વ દિવસમાં પૌષધ લઈને પિતાના આત્માને ધર્મના રંગથી ભાવિત કરતે તે સમિલ આધ્યાત્મિકતામાં આગળને આગળ વધતે ગયે.