________________
૫૩૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતા
હે પ્રભે! પૃથ્વીકાયિક જીવેનું શરીર કેટલું વિશાળ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયનાં શરીર પ્રમાણમાં કેવળ એક સૂક્ષ્મ વાયુકાયિક હોય છે. સારાંશ કે સૂમ વનસ્પતિકાયના અનંત જીવનું જે શરીર પ્રમાણ હોય છે. તેટલા પ્રમાણમાં સૂક્ષ્મ વાયુકાયના એક જીવના શરીરનું પ્રમાણ છે. આગળ આ પ્રમાણે જાણવું.
અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકેના શરીર પ્રમાણમાં સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર પ્રમાણ છે.
અસંખ્યાત સૂક્ષ્મ તેજસ્કાય જીના પ્રમાણમાં એક સૂક્ષ્મ અપૂકાય જીવનું શરીર છે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર પણ જાણવું.
અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના શરીર પ્રમાણમાં એક બાદર વાયુકાના જીવનું શરીર પ્રમાણ છે.
અસંખ્યાત બાદર વાયુકાય છનાં શરીર પ્રમાણમાં એક બાદર તેજસ્કાયનું શરીર પ્રમાણ છે.
અસંખ્યાત બાદર તેજસ્કાયના પ્રમાણમાં એક બાદર અપૂકાયનું પ્રમાણ છે.
અસંખ્યાત બાદર અપકાયના પ્રમાણમાં એક બાદર પૃથ્વી કાયનું શરીર જાણવું.
હે ગૌતમ. પૃથ્વીકાયનું શરીર ઉપર પ્રમાણે જાણવું.