________________
૪૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. અતિચારેની આલેચના કરીને ફરીથી આવું કરવું ન પડે તે. માટે સાવધાન રહેશે. ભગવાનની વાત સાંભળીને સેમિલે પણ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકાર્યું, અને પ્રાણીમાત્રમાં રહેલા દશે પ્રકારના પ્રાણની હેલના, અવહેલના કે વિરાધના થવા ન પામે તેની મર્યાદાને નિર્ણય કર્યો.
(૨) મૃષાવાદ વિરમણઃ
મેહ માયાના નશામાં સર્વથા બેભાન બનેલા આત્માને મૃષાવાદ (જુઠવાદ)ની પકડ બહુ જોરદાર હોય છે. સંસારના ઘણું માનવેને આપણે જાણી શકીએ છીએ કે તે બીજું કંઈ પણ છેડવા માટે, લાખના દાન પુણ્ય કરવા માટે કે વ્યવહારને સારૂં બનાવવા માટે કંઈપણ કરવું પડે તે કરવા માટે તૈયાર રહેશે પણ પિતાના જુઠ વ્યવહારને, વ્યાપારને કે, જુઠ ભાષાને છોડી દેવા માટે સમર્થ નથી બનતા. આવું થવામાં મેટામાં મોટું કારણ મિથ્યાત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ મિથ્યાત્વને અંધકાર કહ્યો છે. જેની હાજરીમાં ભલભલા યેગીઓ, મહા
ગીઓ, તપસ્વીઓ કે ધ્યાનીએ પણ પિતાની ખરાબ આદતેને સુધારી શકતા નથી, જ્યારે સમ્યક્ત્વને પ્રકાશ મેળવ્યા પછી તેમનાં આત્મામાં પોતાની મેળે આ પ્રમાણે કાંઈક સમજણ આવશે કે “આજ સુધી મારા અપરાધોને છુપાવવા માટે હું જુઠ બેલ્યો પણ મારું જુઠાપણું પ્રગટ થયા વિના રહ્યું નથી. મારા જુઠાણાને સામેવાળાએ પકડી પાડયું છે, માટે મારી નિંદા, હિલના, મશ્કરી–અપમાન કે માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે મારી બેટી આદતાએ અપરાધેએ જ મને દુઃખી બનાવવામાં મદદ કરી છે, માટે આજથી મારે જુઠ એલવાનું બંધ છે અર્થાત્ ગમે તે થાય કે ગમે તેટલું સહન