________________
૪૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ ગાદલાને મેહ છેડે અને તીર્થકર દેવના ચરણમાં આવીને તેમની સેવા કરી માનવજીવનને લાભ મેળવે. ઉપવિ કેટલા પ્રકારે છે?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ઉપધિ કેટલા પ્રકારે છે?
જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! ઉપાધિ ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે. કર્મોપધિ, શરીરો પધિ અને બાહ્યોપધિ.
આમાં પહેલી બે આત્યંતર ઉપધિ છે અને છેલ્લી બાહ્ય ઉપધિ છે. તેની વ્યુત્પતિ આ પ્રમાણે છે. “૩૫ઘીયતે ૩૪મ્યતે મામા ન સ ૩વધિ:' આત્મા જેનાથી સ્થિર થાય, કરાય તેને ઉપધિ કહે છે. કર્મોના ભારના કારણે શરીર ઉપધિની જેમ બાહ્ય ઉપધિ પણ માનવને અત્યાવશ્યક એટલા માટે છે કે જે વિના કર્મચક્રમાં ફસાયેલે આત્મા આર્તધ્યાન વિનાને બની શકતું નથી. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે જેની પાસે મકાન, વસ્ત્ર, ખોરાક, ભાંડ (વાસણ) કે પુત્ર પરિ વાર નથી તે બિચારાઓ જેવીસે કલાક આર્તધ્યાનમાં ડૂબેલા હોવાથી રેટી, પાણી કે સ્ત્રી-પુત્ર, મકાન, વસ્ત્રાદિ મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરી રહ્યાં હોય છે. તેવા જ ધર્મ, ધ્યાનથી શી રીતે બચી શકવાના હતા? મનને સ્થિર શી રીતે રાખશે ?
આનાથી વિપરિત પુણ્યાનુબંધી પુણ્યના માલિકને પણ આપણે જાણીએ છીએ કે તેઓ બાહ્ય સાધનેને મેળવ્યા પછી ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને ઘરમાં દૂધ રોટલા છે છતાં પણ એકાસણુ, આયંબિલ અને ઉપવાસાદિ કરી રહ્યાં છે. ઘરમાં ગાદલા-રજાઈઓ છે તે એ સંવેગપૂર્વક પૌષધ પ્રતિક્રમણ