________________
શતક ૧૮ મું : ઉદ્દેશક–૯ ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની વક્તવ્યતા :
રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે ! આ સંસારમાં શું ભવ્ય દ્રવ્ય નારકે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ભવ્ય દ્રવ્ય નારકે હોય છે. “મવિતું થોથો મળ:આ સૂત્રને સરળાથે આ છે કે વર્તમાનમાં તે જીવ મનુષ્ય કે તિર્યંચના અવતારમાં છે અને ત્યાંથી મરીને નરકમાં જવાનું હોય તેને “ભવ્ય દ્રવ્ય નૈરયિક” કહેવાય છે, જે ત્રણ પ્રકારે છે :(૧) એક ભવિક ચાલુ ભવ પૂર્ણ કરી તત્કાળ બીજા ભવે
નરકમાં જવાનું હોય. બદ્ધાયુષ્ક ચાલુ ભવમાં આયુષ્યને ત્રીજો ભાગ શેષ
રહેતા નરકનું આયુષ્ય કર્મ બાંધનારા. (૩) અભિમુખ નામ ગેત્ર-પૂર્વ ભવનો ત્યાગ કરી નારક
આયુષ્ય અને નામ ગેત્રનું વેદના સાક્ષાત્ કરી રહ્યા હોય.
ભવિષ્યકાળમાં નારક થવાના હોય અને ગૃહીત એટલે ચાલુ ભવના પર્યાયને છોડ્યા પછી નારક થવાના હોય તે ભવ્ય દ્રવ્ય નારક કહેવાય છે. આ વ્યાખ્યાથી એટલું વધારે જાણવાનું કે જે છાએ ભૂતકાળમાં નરક પર્યાયોને ભેગવ્યા હોય તેમને સમાવેશ આમાં કરવાનું નહિ. પણ પછીના ભાવમાં જે નરકમાં જશે તેમને જ ભવ્ય દ્રવ્ય નારક સમજવા.