________________
૩૩૨
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ ભવાંતરમાં ભગવાઈ ગયેલા અને ચાલુ ભવમાં ભોગ્ય કર્મોની ઉપસ્થિતિ દ્વારા ઉપાર્જિત પાપોમાંથી વિરતિ કર્યા વિનાના માનવનું શરીર અને ઇન્દ્રિયો જ અધિકરણ સ્વરૂપ બનતાં તે સાધકને બાહ્ય સાધને પણ અધિકરણ રૂપે જ બનવા પામે છે. યદ્યપિ આધાર અને આધેયના સંબંધવાળા ઘટવાનું અને ઘટ જેમ જુદા છે તેમ અધિકરણી આધેય છે અને અધિકરણ આધાર હોવાથી બંનેમાં એકરુપ્ય (સમાનાધિકરણ) બનતું નથી માટે સૂત્રકારે “કવિર વહુન્ન” એટલે કે અવિરતિને આશ્રય કરીને બંનેમાં ઐકરુપે એવી રીતે બનશે કે જે અવિરતિ છે તે અધિકરણી છે અને અધિકરણ સ્વરૂપ છે. આનાથી વિપરિત જે ભાગ્યશાળીએ પાપની વિરતિ કરી છે તેમનું શરીર ઈન્દ્રિયે તથા બાહ્ય સાધને પણ ઉપકરણ સ્વરૂપ બને છે
૩પરિસેડનારમારૂતિ ૩૫૪૫” અર્થાત્ શરીરાદિ ધર્મના સાધક બને છે. આ પ્રમાણે નરકથી વૈમાનિક સુધીના જીવમાં પણ સમજવું. જીવ સાધિકરણ છે? કે નથી?
પ્રશ્નને આશય આ પ્રમાણે છે. યદ્યપિ તે તે પદાર્થો હજી શરીર સાથે સંબંધિત થયા નથી હોતા છતાં પણ માણસ જેમ ધનવાન, ગોમાન, સ્ત્રીવાનું, પુત્રવાન્ આદિ કહેવાય છે. આમાં ધન, ગાય, સ્ત્રી કે પુત્ર હજી દૂર છે, તે પણ જીવ તદ્વાન કહેવાય છે. તેવી રીતે જીવ શું સાધિકરણી છે? કે અધિકરણ વિનાને છે? -
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! જીવ સદૈવ સાધિકરણ જ છે. કેમકે નિયત સાહચર્યવાળા શરીર અને