________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૩
૪૨૫ નરકના નારકે, દશ ભવનપતિઓ, પાંચ સ્થાવરે, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્યો વગેરે નિર્જરાના સૂમ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી.
બંધ માટેની વક્તવ્યતા :
માકંદીપુત્ર મુનિના પૂછવાથી ભગવંતે કહ્યું કે, “બંધના બે પ્રકાર છે.” (૧) દ્રવ્યબંધ અને (૨) ભાવબંધ.
સ્નેહપાશ આદિથી અથવા દ્રવ્યોનો અન્ય બંધ થાય તે દ્રવ્યબંધના પ્રયોગ અને વિશ્વસારૂપે બે ભેદ જાણવા. દેરડી આદિના પ્રયોગથી જે બંધ થાય તેને પ્રગબંધ કહેવાય છે અને સ્વાભાવિકરૂપે વાદળા આદિના બંધને વિસસાબંધ કહ્યો છે. તેમાંથી વિશ્વસાના સાદિક અને અનાદિક બે ભેદ છે. વાદળા આદિને સાદિકબંધ છે અને ધર્માસ્તિકાયાદિને પરસ્પરને બંધ અનાદિને છે.
પ્રગબંધ પણ શિથિલ અને ગાઢરૂપે બે પ્રકાર છે. ભાવબંધના બે પ્રકાર છે. મૂળ પ્રકૃતિબંધ અને બીજે ઉત્તર પ્રકૃતિબંધ. મિથ્યાત્વાદિના કારણે જીવ સાથે જે કર્મોનો બંધ થાય છે તે ભાવબંધ કહેવાય છે.
નારકેથી યાવત વૈમાનિક સુધીના દંડકમાં બંને બંધ જાણવા. મૂળ અને ઉત્તરકર્મ પ્રકૃતિઓનું જ્ઞાન કર્મગ્રન્થાદિથી જાણી લેવું. પાપ કર્મોમાં ભેદની વક્તવ્યતા :
માનંદીપુત્ર મુનિએ પૂછ્યું કે હે પ્રભ! જીવે બાંધેલા,