________________
૩૮૭
શતક ૧૭ મું ઉદ્દેશક-૨
પંચેન્દ્રિય તિર્યંચ છ અધમમાં અને દેશવિરતિમાં સ્થિત છે કેમકે તેમને દેશવિરતિ ધર્મની શક્યતા જૈન શાસનને માન્ય છે. એ જ પ્રમાણે મનુષ્ય માટે જાણવું. - વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ પણ નારકની જેમ સમજવા, કેમકે તેમને પણ સર્વ કે દેશવિરતિ નથી માટે અધર્મમાં સ્થિત છે. અહીં ધર્મ-અધર્મને અર્થ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય લેવાને નથી પરંતુ ધર્મથી સર્વવિરતિ ધર્મશ્રમણ ધર્મ–મુનિધર્મ કે સમિતિ ગુપ્તિ ધર્મ લેવાને છે. જ્યારે તેનાથી વિપરીત અધર્મ સમજ.
શ્રમણ શું પંડિત કહેવાય ?
હે પ્રભે! શ્રમણે પંડિત છે, શ્રમણોપાસકે બાળ પંડિત છે, એમ માનીને પણ અન્યગૃથિકે (પરમતાવલંબીઓ) એમ કહે છે કે શ્રમણોપાસકેમાં પણ જેઓએ બીજા પ્રાણુઓના પ્રાણને અતિપ્રાત વિરપે હોવા છતાં પણ એકાદ જીવન વધની, વિરતિથી રહિત હોય તે તે એકાંત બાળ છે, સારાંશ કે ઘણી વસ્તુઓની વિરતિ કરેલી છે, છતાં પણ એકાદ વસ્તુને ત્યાગ ન કરવાના કારણે તે એકાંત બાળ કહેવાશે....આવી માન્યતાના પ્રત્યુતરમાં પરમાત્મા મહાવીરસ્વામીએ કહ્યું કે હે ગૌતમ! તે લેકેની આવા પ્રકારની માન્યતા ઠીક નથી, કેમકે જ્ઞાન પૂર્વક ત્યાગની ભાવનાથી પાપવ્યાપારે માંસ ભેજન, શરાબ પાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ઉપરાંત ખાવાપીવાની ઘણી વસ્તુઓ પ્રાપ્ત હોવા છતાં, જાણી બુઝીને ત્યાગ કરનારે શ્રમણોપાસક કદાચ પિતાની અમુક પરિસ્થિતિને કારણે અમુક વસ્તુઓને ત્યાગ ન કરી શકે, તેટલા માત્રથી તે એકાંત બાળ