________________
૪૦૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સવેગાદિ ધર્મનું ફળ શું છે?
હે પ્રભેનિમ્નલિખિત સંવેગાદિ, ૨૮ પ્રકારના ધર્મોની આરાધના શું સાર્થક ફળ દેવાવાળી બને છે ?
જવાબમાં ભગવંતે “હા” કહી છે. તેને અર્થો સંક્ષેપથી અહીં જાણીએ અને વિસ્તારથી ગુરુમુખે જાણવા કેમકે જાણયેાગ્ય અને જીવનમાં ઉતારવાલાયક તો સૌથી પહેલા જાણવાથી જીવન ધન્ય અને આરાધક બનવા પામે છે. પાપના ભરેલા સંસારમાં આરાધ્ય અને ઉપાદેય તને સ્વીકાર કરવાથી જીવન યાત્રા સફળ બનશે અને ભવભવાંતરમાં પવિત્ર સંસ્કારને ઉદય થતાં આપણે આત્મા હંમેશાંને માટે અનંત દુઃખના ભરેલા સંસારને ત્યાગ કરી અનંત સુખને સ્વામી બનશે.
સંવેગાદિ ૨૮ પદે નીચે પ્રમાણે છે. ' (૧) સંવેગ –અવ્યાબાધ અને અનંત સુખના ધામ સ્વરૂપ મોક્ષ પ્રાપ્તિના અભિલાષને સંવેગ કહેવાય છે. ધ્યેય, લક્ષ્ય અને પ્રવૃત્તિ યદિ પરસ્પર એક બીજાને અનુકુળ હોય તે ગમે તે કાર્યસિદ્ધિ થવામાં બાધ આવતું નથી. તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ મેક્ષનું ધ્યેય હોય અને તે અનુસારે લક્ષ્ય અને પ્રવૃત્તિ પણ હોય તે ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી.
(૨) નિવેદ-પૂર્વના પુણ્યદયે મળેલા ભૌતિક સુખના ભગવટામાં ઉદાસીનતા કેળવવી. . (૩) ગુરુ સાધર્મિક સુશ્રષા:- એટલે કે દિક્ષાગુરુ, વિદ્યાગુરુ કે આચાર્ય આદિ ગુરુજનેની બહુમાનપૂર્વક સેવા અને વિનય કર.