________________
શતક ૧૬ મુ‘: ઉદ્દેશક-૩
૩૪૫
ગાયમ સંશય ટાલિયા રે મિતા ભગવઇમાં શુભ વીર રે. રંગીલા મિતા
મુનિનું આપરેશન કરતા વૈધને ક્રિયાએ લાગે ?
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કોઈક સમયે રાજગૃહી નગરીના ગુણશિલ ચૈત્યેાદ્યાનથી વિહાર કરી બહારના જનપદોમાં વિહરી રહ્યાં હતાં તે જ કાળ અને તે જ સમયમાં ‘ઉલ્લુકતીર’ નગરની બહાર ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના ખૂણામાં એક ‘જમ્મૂક’ નામનુ’. ચૈત્ય હતું. ત્યાં એક દિવસે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યાં, સમવસરણની રચના થઇ, જનતા આવી અને ભગવાને હિંસા અને અહિંસા શુ છે ? તેના ઉપદેશ કર્યો અને પ્રસન્નચિત્તે સૌ સ્વસ્થાને ગયા.
ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન–નમન કરીને આ પ્રમાણે પૂછ્યું કે, હે પ્રભો! કોઈક ભાવિતાત્મા અણુગાર સમાધિપૂર્ણાંક છઠ્ઠને પારણે છઠ્ઠું કરે છે, યાવત્ આતાપના લેતા તેમને દ્વિવસના પહેલા ભાગમાં કાયાત્સ માં હેાવાના કારણે હાથ-પગ-સાથળ વગેરે અંગેા અને ઉપાંગોને સમેટવા અને પ્રસારવા આદિ કલ્પતા નથી, પરંતુ અર્ધો દિવસ પતી ગયા પછી એટલે ‘અવડૂત’ થયા પછી તે મુનિ પેાતાના હાથ-પગ આદિ ચલાવે છે, તે સમયે કોઈ વૈદ્યરાજ તેમને જાએ કે આ મુનિના નાકમાંથી ‘મસા’ બહાર નીકળેલા છે. ત્યારપછી તે વૈદ્ય મુનિરાજને સુવડાવીને મસા કાપી લે છે અર્થાત્ ઓપરેશન કરે છે, તે હે પ્રભો ! છેદ્ય ક્રિયા કરતા તે વૈદ્યને શુ ક્રિયા લાગે ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે કોઈપણ ક્રિયા ધર્મ બુદ્ધિથી