________________
૩૩૩
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧ ઇન્દ્રિયે જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અધિકરણ સ્વરૂપ જ છે. યદ્યપિ શસ્ત્રાદિ તેમજ ધન-પુત્ર-પુત્રીરૂપ અધિકરણનું સાહચર્ય નિયત નથી તે પણ તેના પ્રત્યેની માયા હોવાથી અવિરતિના કારણે સ્વસ્વામી સંબંધ તે અવશ્ય છે જ. આજે સ્ત્રી-પુત્ર કે પરિવારાદિ નથી તે પણ તે પદાર્થોને મેળવવા માટેને ભાવ નકારી શકાતું નથી. ત્યારે જ તે આજે મેટર નથી પણ મેળવવાની ભાવના છે, શેઠ બન્યું નથી પણ બનવા માટે રાત-દિવસ એક કરી રહ્યો છે, દરિયાપારના દેશના દૂધદહિ-વસ્ત્રો આદિ મેળવી શકાતા નથી પણ મેળવવા માટે પ્રયને જરૂર છે. અત્યારે ગાડી, વાડી અને લાડી નથી તે પણ લાડી(ઘરવાળી)ને ગાડી ઉપર બેસાડીને વાડી એટલે દૂર દૂરના બગીચાઓમાં લઈ જઈ ફરવાની માયા જરૂર છે. મરીનડ્રાઈવ ઉપર બંગલે નથી પરંતુ ગમે તેવા કાળાબજાર કરીને પણ મરીનડ્રાઈવમાં રહેવા માટે તનતોડ પરિશ્રમ જરૂર થઈ રહ્યો છે. છેવટે તિષી ન મળે તે મહુડી, નાકડા કે નરેડા જઈને પણ પૈસાવાળા, પુત્રવાળા કે બંગલાવાળા થવાના ભાવ રેમેરમ છે, ઈત્યાદિ પ્રસંગમાં અવિરતિના પરિણામે હોવાથી જીવાત્મા સાધિકરણ જ છે, પણ અધિકરણ વિનાને નથી. જીવ શું આત્માધિકરણાદિ છે?
ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! આ જીવ શું આત્માધિકરણ છે? પરાધિકરણ છે? કે તદુભયાધિકરણી છે?
જીવાત્મા પિતે મન-વચન કાયાથી પાપકર્મો કરે તે આત્માધિકરણ કહેવાય છે. બીજાને પ્રેરણ કરીને તેની પાસે કર્મો કરાવે તે પરાધિકરણ છે; અને બંને મળીને પાપ કરે છે તે તદુભયાધિકરણી છે.