________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૯ અનગાર વિશેષની વક્તવ્યતા :
હે પ્રભે! જે ભાવિતાત્મા અનગાર પિતાનાં કર્મોને ગ્ય કૃષ્ણાદિ લેશ્યાઓને વિશેષ પ્રકારે જાણતું નથી અને સામાન્યરૂપે દેખતે નથી. તે તે સંયમી કર્મ અને લેસ્યાઓથી યુક્ત શરીર સહિત પોતાના આત્માને પણ શું નથી જાણતે કે નથી દેખતે?
જવાબમાં પરમાત્માએ કહ્યું કે કર્મ અને વેશ્યાઓના દ્રવ્ય અતિ સૂમ હોવાથી છદ્મસ્વમુનિ તેને જાણતો નથી, પરત લેશ્યા અને કર્મોથી યુક્ત પોતાના આત્માને તે જાણે જ છે, કારણ કે સ્થૂળ શરીર ચક્ષુગ્રાહ્ય હોય છે અને તેનાથી સંબંધિત આત્મા હોવાથી તે બંનેમાં કથંચિત્ અભેદ છે, સારાંશ કે જ્ઞાનાવરાણીયાદિ કર્મો અને વેશ્યાઓ છદ્મસ્થથી જણાતી નથી પણ તે કર્મોને ભેગવટો શરીરના માધ્યમથી આત્મા કરી રહ્યો છે માટે તે છદ્મસ્થ, શરીર અને આત્માને જાણે છે. અરૂપી આત્મા ભલે ચક્ષુગ્રાહ્ય નથી તે પણ પોતાના કરેલા પ્રારબ્ધકર્મોના ભોગવટાથી પ્રાપ્ત થયેલાં સુખ તથા દુઃખના અનુભવથી આત્મા સ્વસંવિદિત છે અર્થાત્ પ્રત્યક્ષ છે.
આત્માને મુખ્ય ગુણ ઉપયોગ છે, જે વિશેષ રૂપે જ્ઞાનાત્મક અને સામાન્યરૂપે દર્શનાત્મક હોવાથી આત્મા ચૈતન્યમય છે જ્યારે શરીર અને ઈન્દ્રિયામાં ચૈતન્યશક્તિ ન હોવાના કારણે આત્માના સંચાલન વિના શરીર, ઈન્દ્રિયો અને મન કેઈ કાળે પણ પ્રવૃત્તિમય થઈ શકતા નથી. રેલગાડીનું એન્જિન સ્વયં