________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૯
૨૯૧ ચૈતન્ય વિનાનું હોવાથી સામે આવતે પુલ તુટી ગયેલ હોય કે પાટા ઉખડી ગયેલા હોય તે પણ તેની ખબર એન્જિનને પડતી નથી, તેથી પિતાના હાનિ-લાભને પણ જાણી શકતો નથી,
જ્યારે જીવાત્મા પિતાના હાનિ લાભને નિર્ણય કરી શકો હોવાના કારણે અરૂપી જીવ પોતાના કાર્યને લઈને પ્રત્યક્ષ જ છે, માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે છત્રસ્થ પિતાને તથા શરીરને પણ જાણે છે. પ્રકાશમાન પુદગલે કેટલા ?
વર્ણાદિથી યુક્ત તથા કર્મલેશ્યાવાળા પુદ્ગલ સ્કંધે જે પ્રકાશિત છે તેમની સંખ્યા કેટલી ?
જવાબમાં પ્રભુજીએ કહ્યું કે, સૂર્ય અને ચંદ્રના વિમાનમાંથી નીકળતી તે જેતેશ્યાઓ પ્રકાશિત હોય છે, અને તે પ્રકાશથી બીજા પુદ્ગલસ્ક પણ પ્રકાશિત થાય છે. યદ્યપિ સૂર્ય ચંદ્રના વિમાનમાં રહેલા પુગલે પૃથ્વીકાયિક હોવાથી સચેતન છે માટે સકર્મલેશ્યાવાળા હોઈ શકે છે, જ્યારે પ્રકાશના પુદ્ગલે કર્મલેશ્યાવાળા નથી, છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે માટે કાર્યમાં કારણની અપેક્ષાએ કર્મલેશ્યાવાળા માનવામાં વાંધો નથી. નારકાદિને પગલે આમ કે અનામ હોય?
આમ (દુઃખથી રક્ષા કરવાવાળા અને સુખ દેનારા) અનામ (દુઃખેત્પાદક) જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા જીવ માત્રને તત્રસ્થ પગલે અનામી અર્થાત્ દુખપ્રદ જ હોય છે, જ્યારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર દેવેના પગલે આમ અર્થાત્ સુખપ્રદ હોય છે