________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
,
મહાવીરસ્વામીને આટલી ઋદ્ધિ, યશ, કીતિ, બળ, વીષ, પુરુષાકાર ( પુરુષાર્થ) પ્રાપ્ત થયા છે, તેટલે બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને થયા નથી. ’ આ પ્રમાણે વિચાર કરતા અને સત્ર મારી શેાધ કરતા તે ગેશાળાને હું ત્યાં મળ્યા, અને સંતોષ પામેલા તેણે મને વંદના કરી નમન કર્યું'. ત્રણવાર પ્રદક્ષિણા કરીને મને કહ્યું કે, “ હે પ્રભુ ! આપ મારા ધર્માંચાય છે, અને હું આપશ્રીનેા અન્તવાસી શિષ્ય છું. ” ત્યારે હે ગૌતમ મેં તેની વાતના સ્વીકાર કર્યાં અને છ વષૅ સુધી ભવિતવ્યતાની પ્રબલતાના કારણે તેની સાથે સુખ-દુઃખ, લાભ-અલાભ, સત્કારઅસત્કાર, હાની - ફાયદા, માન-અપમાન આદિના અનુભવ કર્યા અર્થાત્ અનિત્ય જાગરિકામાં તે સમય પસાર કર્યાં.
૩૦૨
હે ગૌતમ ! ત્યારપછી વર્ષાઋતુ સમાપ્ત થયે ગેાશાળાની સાથે વિહાર કરતા સિદ્ધાર્થ ગ્રામનગરથી ધૂમ ગ્રામ તરફ જઈ રહ્યો હતા ત્યારે તે ખ'ને ગામની વચ્ચે, હરિયાળા પત્રાથી પૂર્ણ, પુષ્પોથી શાભતાં તલના છોડને જોઈ ગાશાળે મને પૂછ્યુ કે હું પ્રભા ! આ છોડ ઉગશે ? કે નહી ઉગે ? તથા તલ પુષ્પના સ્રાત જીવા છે તેઓ મૃત્યુ પામી કયાં જશે ? કાં ઉત્પન્ન થશે ? જવામમાં મેં કહ્યું કે આ છેડ જરૂર ઉગશે અને પુષ્પના સાતે જીવો પુન: તલની એક ફળીમાં તલ રૂપે ઉત્પન્ન થશે. પરંતુ ગૌતમ ! ગોશાળાનું જીવઠ્ઠલ તથાપ્રકારનું ન હેાવાથી મારા વચન પ્રત્યે તેને વિશ્વાસ ન થયા, રૂચિ ન થઈ. તે કારણે મને ગમે તેમ ખોટો સિદ્ધ કરવા માટે અને ખીજાઓની આગળ મને જુડો સાબીત કરવાના ઈરાદે ધીમે ધીમે ચાલવાના ઢોંગ કરતા તે ગશાળા મારાથી પાછળ રહ્યો અને પા જઈને તે તલના છોડને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. પણ ગૌતમ ! તે જ સમયે આકાશમાં વાદળા આવી ગયા, વિજળીએ