________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિઓની ગતિવક્તવ્યતા:
ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે કહ્યું કે, ગોશાળાની તેશ્યાથી ભસ્મીભૂત થયેલા સર્વાનુભૂતિ મુનિરાજ કાળધર્મ પામીને સૂર્ય તથા ચંદ્રના દેવવિમાનનું ઉલ્લંઘન કરીને આઠમા દેવલેકમાં ઉત્પન્ન થયા છે. જ્યાં અઢાર સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને દીક્ષા લેશે અને સિદ્ધ બુદ્ધ યાવત્ મેક્ષમાં જશે.
સુનક્ષત્ર મુનિરાજ તેજલેશ્યાથી દગ્ધ થઈ મારી પાસે આવ્યા અને મહાવ્રતનું પુનરૂચ્ચારણ કર્યું, તથા સૌની સાથે ક્ષમાયાચના કરીને બારમા અચુત દેવલોકમાં બાવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા છે. ત્યાંથી મહાવિદેહમાં જઈ દીક્ષિત અને શીક્ષિત થઈ કર્મોને ક્ષય કરીને મેક્ષ મેળવશે.
ગશાળાની ગતિની વક્તવ્યતા ?
હે પ્રભે ! આપ શ્રીમાનને અંતેવાસી કુશિષ્ય ગૌશાળા મરીને ક્યાં ગયે હશે? હે ગૌતમ! શ્રમણઘાતક, શ્રમણ સંસ્થાને પ્રત્યેનીક મારે કુશિષ્ય ગાળે બાવીસ સાગરોપમની સ્થિતિવાળે અશ્રુતદેવ થયા છે. ત્યાંથી ચ્યવને આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલની આસપાસ તળેટીમાં પંડ્રક દેશને શતદ્વાર નગરમાં સંભૂતિ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે, નવ મહિના સાડાસાત દિવસ પૂરા થયે તેને જન્મ થશે અને પદ્મ તથા રાની વૃષ્ટિ થશે. તે અનુસાર તે કુમાર(ગત ભવને શાળ)નું નામ “મહાપદ્મ