________________
શતક ૧૫મું ઉદ્દેશક-૧
૨૯ નથી, તે માટે તે પિતાને માટે જે કહે છે તે બેઠું છે. વિશેષમાં ભગવંતે તેનું જીવન આ પ્રમાણે કહ્યું.
ગોશાળાનું જીવન
હાથમાં ચિત્ર લઈને ભિક્ષા માંગનારી “મંખલી” નામે જાત છે, માટે પુરુષનું નામ પણ મંખલીથી સંબંધિત થયું. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. જન્મ જન્મના દરિદ્ર આ દંપતી એક દિવસે “શરવણ” નામે ગામમાં આવ્યા, જ્યાં ગબલ નામે બ્રાહ્મણ રહેતા હતા. દંપતી પર દયા ખાઈને તે બ્રાહ્મણે પિતાની ગાની શાળામાં તેમને રાખ્યા અને ભદ્રાને પુત્રને જન્મ થયે. ગાની શાળામાં તે બાલક જન્મેલ હોવાથી તેનું નામ “ગશાળ” રાખવામાં આવ્યું. બાલ્યકાળ પૂર્ણ કરીને ગોશાળ યુવાન થયે, સાથે સાથે પરિપક્વ બુદ્ધિવાળે અને વિદ્વાન થયે.
તે કાળે તે સમયે ગૌતમ! હું મારા જન્મથી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને જ્યારે મારા પિતા–માતા દેવલેકવાસી થયા, અને મારી દીક્ષાની પ્રતિજ્ઞા પૂર્ણ થયે ઈન્દ્ર આપેલા દેવદૂષ્યને સ્વીકારી નિગ્રંથ થયે અને ચાતુર્માસને શેષ રહેલે અધે માસ તપશ્ચર્યા પૂર્વક અસ્થિકગ્રામની નિશ્રામાં પૂર્ણ કર્યો. બીજું ચોમાસુ માસખમણને પારણે મા ખમણ કરી પૂર્ણ કર્યું. તે સમયે મખલી ગોશાલક પણ હાથમાં બીજાઓને ચિત્ર બતાવતે. જ્યાં હું હતું ત્યાં પિતાને સામાન મૂકીને રાજગૃહી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષાચર્ચા માટે ફર્યો, પણ રહેવા માટે ક્યાંય જગ્યા ન મળવાથી તંતુવાયની શાળામાં જ તેણે પિતાના ધામા નાખી દીધા.