________________
શતક ૧૪ મુ· : ઉદ્દેશક-૮
૨૮૭
અનશનપૂર્વક બ્રહ્મદેવલાકમાં દેવ બનશે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધરીને યાવત્ મેાક્ષમાં જશે.
અવ્યાબાધ દેવાની વક્તવ્યતા :
હું પ્રભા ! અવ્યાબાધ દેવા કોને કહેવાય ? જવાબમાં ભગવતે કહ્યું કે, તે દેવા પેાતાની દિવ્યઋદ્ધિ, દ્વિવ્યવ્રુતિ વડે કોઈ પણ માણસની આંખની પલક ઉપર, ૩૨ પ્રકારના નાટકો રમી શકે છે, બતાવી શકે છે, છતાં પણ તે માણસને રતિમાત્ર પીડા નથી થતી, આ કારણે તે દેવા અવ્યાબાધ દેવ કહેવાય છે, જે પાંચમા દેવલાકના લેાકાન્તિક ભેદોમાં કહેવાયા છે, જેની સંખ્યા ની છે તે આ પ્રમાણે : (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહિન (૪) વરૂણ (૫) ગાથ (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) અન્ય (૯) અરિષ્ટ. આ નવ પ્રકારના દેવા લાકાન્તિક કહેવાય છે. જે લોકના અંતમાં નહી પણ લેાક એટલે સંસારના અંતમાં હાવાથી ત્યાંથી ચ્યવન પામીને બીજે ભવે મેાક્ષમાં જનારા હેાય છે.
દેવેન્દ્રની વિચિત્ર વિક્રિયા :
હે પ્રભુ! ! શક્રેન્દ્ર દેવરાજ શું કોઇનુ માથું કાપીને કમ`ડળમાં નાખી શકે છે ? ભગવંતે કહ્યું કે, તે ‘ઇન્દ્ર મહારાજ પેાતાના શસ્ત્રાદિવડે માણસનું માથું કાપીને કમંડળમાં નાખી શકે છે. તે આવુ શી રીતે કરે છે? પ્રભુએ કહ્યું કે, જેમ ચાકુથી ભીંડા આદિના ટૂકડે ટૂકડા કરાય છે તેમ ઈન્દ્ર મહારાજા પણ માણુસના મસ્તકને તલવારવડે ટૂકડે ટૂકડા કરીને કમડળમાં ભરે છે, પછી પાછા તે ટૂકડાએને માલુસના માથા