________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૮
૨૮૫ કે લાખે ભવના પાપ પણ અગ્નિમાં પડેલા સૂકા લાકડાની જેમ બળીને ખાખ થઈ જાય છે અને તય શક્તિ યદિ વધારે સાત્વિક બની જાય તે નિકાચિત કર્મો પણ પ્રાય: બળી જાય છે. જ્યારે અકામ નિર્જરા એટલે કર્મો ખપાવવાની ઈચ્છા નથી છતાં પણ તેમને પરિપાક થતાં પિતાની મેળે ખપતા જાય છે. જેમકે ભૂખ છે, ખાવાનું નથી, તરસ લાગી છે પણ પીવા માટે ઠંડુ પાણી નથી, ઠંડી જોરદાર પડે છે પણ કપડા નથી, ગરમી અસહ્ય છે પણ છાયા અને હવાવાળા મકાન ભાગ્યમાં નથી, સ્ત્રીસહવાસની ઈચ્છા છે. પણ સ્ત્રીની પ્રાપ્તિ નથી. સ્ત્રી છે તે ભેગશક્તિ નથી. તે પણ છે તે પેટમાં જોરદાર ભૂખ લાગી છે, કદાચ બધુ છે પણ શરીર બેડોળ અને સીમાતીત સ્કૂલ હેવાથી કેઈને પણ પસન્દ પડતું નથી. આવી રીતે સંસારની વિડંબનાઓ ભેગવાઈ રહી છે અને કર્મો પણ નિર્જરાતા જાય છે. યદ્યપિ સકામ નિર્જરાની અપેક્ષાએ આમાં મન્દતા ઘણું હોય છે. છતાં પણ કઈક જીવને આ અકામ નિર્જરા પણ બીજા કે ત્રીજા ભવે કેવળજ્ઞાનને રસ્તે ચડાવી દેવામાં સમર્થ હોય છે. મરુદેવી માતા પણ કેળના ઝાડમાંથી બીજા જ ભવે કેવળજ્ઞાન મેળવી શક્યા હતાં, તેમ આ શાલીવૃક્ષ પણ બીજા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ થશે. પરંતુ ખાસ ખ્યાલ રાખવાનું છે કે આ બધી વાતો લાખે કરેડ જમાં કેઈ એકાદ જીવની છે. સૌના ભાગ્યની આ વાત નથી. જ્યારે સૌને માટે રાજમાર્ગ સકામ નિજેરાને હોવાથી પ્રત્યેક માણસ પોતાના જીવનનાં સર્વથા નિરર્થક પાપને હિંમતપૂર્વક છેડી દે અથવા છેડી લેવાની ટ્રેનીંગ લે તે પણ કલ્યાણ છે. મહિને મહિને તાનું પાપ, વર્ષે વર્ષે જરા મોટું પાપ અને પાંચ પાંચ વર્ષે સર્વથા ભયંકર પાપોને