________________
૨૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ તેમનામાં ફળ દેવાને તેને સ્વભાવ પણ પિતાની મેળે જ બંધાઈ જાય છે. | સ્વભાવની જેમ આત્મા સાથે રહેવાને કાળ પણ તે સમયે કે ત્યાર પછીના સમયમાં બંધાઈ જાય છે. પહેલા ભાગમાં ચર્ચાઈ ગયેલે વિષય હોવા છતાં અત્યુપયેગી હોવાથી ફરીથી વિચારી લઈએ. અનંત સંસારના અનંત ને ભેગવી ચૂકેલે આ જીવાત્મા રાગદ્વેષ-મોહ-માયા અને કામે પાસના આદિના કારણે પ્રત્યેક ભવમાં સેંકડો-હજારેલા છે અને કરેડોથી પણ વધારે બીજા છ સાથે સંબંધિત થયે છે. અધ્યવસાયની તરતમતાને કારણે સંબંધ પણ વિચિત્ર જ હોય છે. અનિકાચિત સંબંધ અને કર્મોની વાત ન કરીએ તે પણ નિકાચિત, ગાઢનિકાચિત થયેલા રાગ કે દ્વેષના સંબંધે કે કર્મોમાં તે ઘણું જ વિચિત્રતા આવવાનું કારણ એ છે કે –
કર્મ સાંકળથી બંધાયેલા તે બંને છે કેણ જાણે પાછા એક સ્ટેજ ઉપર ક્યારે ભેગા થશે તેનું કંઈ પણ કહી શકાય તેમ નથી. કેમકે સૌ જીવોની ગતિ અને આગતિ સર્વથા કર્માપેક્ષ છે.
મહાવીરસ્વામીને આત્મા, શય્યાપાલકના આત્માને ૮૦ સાગરેપમ પછી ભેગો થયે છે, જ્યારે પાર્શ્વનાથને આત્મા કમઠને તથા ગુણસેનને આત્મા અગ્નિશર્માને એક એક ભવના આંતરે લગભગ સાગરોપમની સંખ્યા પૂર્ણ થયે મળે છે અને મળ્યા ત્યારે વૈરના બદલા જીવલેણમાં પરિણમ્યા છે, એ જ પ્રમાણે અતિ નિકાચિત રાગના સંબંધે આનતપ્રાણત દેવકને દેવ પિતાની ૨૦ સાગરોપમ જેટલી આયુષ્ય મર્યાદા લગભગ પૂરી કરી રહ્યા પછી, પોતાની ૨૦ સાગરોપમ પહેલાંની અને નિકાચિત