________________
શતક ૧૪ મું : ઉદેશક-૩ દેવામાં શું વિનયાદિ કર્મો હોય છે?
આકાશમાં સૂર્ય અને ચંદ્રના વિમાનની જેમ લેક શાશ્વત હોવાના કારણે સ્વર્ગ અને નરક ભૂમિએ પણ શાશ્વત છે. માટે સ્વર્ગ નરકમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવવાવાળા જીવે પણ અનાદિ કાળથી છે અને રહેશે. પુણ્યકમી આત્મા સ્વર્ગમાં જાય છે અને પાપકર્મી આત્મા નરકમાં જાય છે. માટે પિતપોતાના કર્મોની બેડીઓમાં ફસાયેલા આત્માઓ પરાધીન છે. આત્માના એક એક પ્રદેશમાં બંધાઈ ગયેલા ભયંકરમાં ભયંકર વૈર–વિરોધના અનંત પરમાણુથી ગ્રસ્ત થયેલા નારકેની પાસે સદ્દવિચારણા માટે એકેય સમય નથી. દેવગતિના દેવ મહાપુણ્યવંત હોવાના કારણે પુણ્યકર્મનાં ભગવટામાં અલમસ્ત બનેલા છે, અને તિર્યંચો પાસે અભિવ્યક્ત ભાષા અને હાથ આદિને અભાવ હોવાના કારણે સત્કર્મો કરવા માટે તેમને પણ ચાન્સ પ્રાયઃ કરીને નથી હોતું. તેમ છતાં પણ સમ્યગદર્શનના પ્રકાશમાં કઈ વાર જ સારે અવસર મળી શકે છે અને અમુક છે તેને લાભલઈ શકે છે.
દ્રવ્ય સત્કર્મો યદ્યપિ મહત્વના જ છે, તથાપિ ભાવ સત્કર્મો તેમનાથી પણ ઘણું મહત્વશાલી હોય છે તેમાં બેમત નથી.
સંસારભરના બધાએ જીવાત્માઓની અપેક્ષાએ ભાવસંયમ ધર્મની આરાધના કરવામાં જૈન મુનિએ ઉત્કૃષ્ટતમ છે, કેમકે બાહ્ય તપ ત્યાગથી પણ તેઓ શ્રેષ્ઠ છે અને ભાવ તપ
•
- -