________________
૨૭૬
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રીતે ક્રિપ્રદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સ્કંધ સાથે તુલ્યતા રાખે છે પણ દ્વિપ્રદેશિકને છેડીને બીજા સાથે તુલ્યતા નથી. દશ પ્રદેશિક સ્કંધ બીજા દશપ્રદેશિક સાથે તુલ્ય છે, પણ તેનાંથી ઓછા વતા સાથે તુલ્ય નથી. આ પ્રમાણે ચાવત્ અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું.
- (૨) ક્ષેત્ર તુલ્યતા –આકાશના એક પ્રદેશમાં જે પુદુગલ રહેલે છે તે એક પ્રદેશમાં રહેલા બીજા પુગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા ધરાવે છે. આકાશના બે પ્રદેશમાં અવગાઢ પુગલ બીજા બે પ્રદેશમાં અવગાઢ પુદ્ગલની સાથે તુલ્યતા ધરાવે છે. તેનાથી વ્યતિરિક્ત બીજા ક્ષેત્રમાં રહેલા યુગલેની તુલ્યતા નથી. ' (૩) કાળની અપેક્ષાએ તુલ્યતા :-કાળના એક સમયમાં રહેવાવાળા પુદ્ગલ બીજા એક કાળના સમયવાળા પુદ્ગલ સાથે તુલ્ય છે, એ સમયની સ્થિતિવાળો પુદ્ગલ બીજા બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ તેનાથી વ્યતિરિક્ત સમયવાળા પુદ્ગલ સાથે સમાનતા નથી.
(૪) ભવ તુલ્યતા -નારાજીવ પિતાનાં નરકગતિના જીવ સાથે સંબંધ રાખનારા બીજા નારક જીવ સાથે તુલ્ય છે, પણ બીજી ગતિવાળા જીવ સાથે ભવની અપેક્ષાએ તુલ્ય નથી. આ રીતે મનુષ્યભવને જીવાત્મા મનુષ્યગતિથી વ્યતિરિક્ત બીજી ગતિના છ સાથે તુલ્ય નથી.
(૫) ભાવ તુલ્યતા -એક ગુણ કૃષ્ણ ગુણવાળે પુદ્ગલ બીજા એક ગુણવાળા કૃષ્ણ દ્રવ્યથી વ્યતિરિક્ત પુદ્ગલ સાથે તુલ્ય નથી. આ પ્રમાણે આગળપણ સમજવું અને નીલ