________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૭
મહાવીરસ્વામી અને ગૌતમની તુલ્યતાની વક્તવ્યતા :
નિરતિચાર પચમહાવ્રતાના પાલક, ષટ્કાય જીવેાના રક્ષક, જગતના જીવા સાથે મૈત્રીના ધારક, નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારી અને ધર્મીના સાક્ષાત મૂર્તિ જેવા ૧૪ હજાર મુનિરાજો અને ૩૬ હજાર સાધ્વીજી મહારાજના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામી સમવસરણમાં બિરાજમાન હતાં. આખા એ મગધદેશમાં અને ખાસ કરી રાજગૃહી નગરીની જનતા ખુશખુશ હતી. દેવાધિદેવના દેદાર જોઇને સૌના હૈયા પૂર્ણાનન્દની મસ્તીમાં મસ્ત હતાં. આર્થિક દૃષ્ટિની જેમ આ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જનતા પૂર્ણ હતી. પણ દેવાધિદેવના મુખ્ય ગણુધર, ચાર જ્ઞાનના સ્વામી, સંઘના અધિનાયક ગૌતમસ્વામીજીનું હૃદય કેવળજ્ઞાનના અભાવમાં બેકરાર હુતુ, વિચલિત હતું. ‘મારા હાથે દીક્ષિત થયેલા પણ કેવળજ્ઞાન મેળવી શકયા છે ત્યારે મને હજી સુધી કેવળજ્ઞાન કેમ નથી ? શા માટે નથી ? આવી રીતની વિષાદાવસ્થાને ભાગવનારા ગૌતમને, મહાવીરસ્વામી પોતે જ આમંત્રણ દઇને પેાતાની પડખે ખેલાવે છે અને આશ્વાસન આપતાં કહે છે કે :-- ગૌતમ ! “ વિવાä મા ગા:, કાથાનું સ્થળ, સ્વાસ્થ્ય મગ આમ કહીને પ્રેમભર્યાં શબ્દોમાં ફરીથી કહ્યું કે :--
""
(૧) વિદ્ સંસિઠ્ઠોતિ મે શોયમા । હે ગૌતમ! તારી મારા સ્નેહ સંબંધ આજના નથી પણ ભવભવાંતરાના છે,