________________
૨૨૪
( શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાને પ્રયત્ન સર્વથા નિરર્થક છે; કેમકે જેને જવાબ છે જ નહિ તેવા પ્રશ્નો પણ બેકાર છે. આકાશમાંથી વરસાદ, કરા, માછલાં અને વીજળી પડતાં તે સૌ કઈ અનુભવી શકે છે પરંતુ ત્રણે કાળમાં આંબાની ગોટલી કે કબૂતરનાં ઈંડાં આકાશમાંથી પડ્યાં હોય કે કેઈની ફેકટરીમાં બનતા હોય એ અનુભવ ભૂતકાળમાં પણ કેઈને થયેલ નથી અને ભાવિકાળમાં પણ કેઈને થવાને નથી. - સત્યાર્થ એ છે કે સંસારને, માનવને, ઝાડ, નદીઓ કે નાળાઓને જેઓ ઈશ્વરનું સર્જન માને છે તેમને તથા મિથ્યાજ્ઞાનીઓને જ આવા પ્રશ્નો ઉદ્દભવે છે. પરંતુ હજુ સુધી એક પણ બ્રહ્મવેત્તા તેને થયું નથી કે પોતાના ભક્તોને શંકામુક્ત કરી શકે. જ્યારે અરિહંતેનું શાસન ફરમાવે છે કે
હે પુણ્યશાળીઓ ! આ સંસાર અને તેની માયા સૌને માટે પ્રત્યક્ષ છે, માટે તમે પોતે તેને અનુભવ કરે, જેથી સત્યજ્ઞાનના માલિક બની શકે.”
મુક્તાત્માને છેડીને કર્મ વિનાને એકેય જીવ નથી. તેથી જીવ અને કર્મનું મિશ્રણ જ સંસાર છે. તે કર્મોને ઉત્પાદક (સંગ્રાહક) અને વિનાશક જીવ છે, પણ જીવને ઉત્પાદક કઈ હોઈ શકે નહિ. બેશક ! સંસારનું કે જીવનું રૂપાંતર જૈન શાસનને માન્ય છે અને તે કાર્ય માં પણ કર્મસત્તાનું આધિપત્ય જ રહેલું છે.
ઘી, તેલ, કે રંગરોગાન ઉપર વિન ઈચ્છાએ પણ રજકણાદિ ચોંટ્યા વિના રહી શકે તેમ નથી. તેવી રીતે રાગદ્વેષની ચીકાશવાળા આત્માને મન-વચન તથા કાયાના વ્યાપાર સર્વથા અનિવાર્ય હોય છે અને જ્યાં વ્યાપારે છે ત્યાં કમં.