________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૮
૨૨૩ મોહવશ બનેલા જીવના અધ્યવસાયે અસંખ્યાત અને અનંત હોવાથી કર્મો પણ અનંતા હેય છે, પણ તે બધાને સમાવેશ આઠની સંખ્યામાં થઈ જાય છે. કેમકે કેઈપણું અધ્યવસાય તેવું નથી જે આઠ કર્મોમાંથી એકાદમાં સમાવેશ ન પામતે હોય. માટે સામૂહિક રૂપે કર્મો આઠ કહ્યાં છે, તે બધાનુ વિસ્તૃત વર્ણન પહેલા ભાગમાં અને બીજા ભાગમાં આવી ગયું છે.
કર્માણ વિનાને જીવાત્મા ઈશ્વર જ હોય છે, જે નિરંજન નિરાકાર હોવાથી એકેય કર્માણ તેને અસર કરતું નથી. જ્યારે સંસારવતી જીવ અનાદિકાળથી કર્મોના ઓછાવત્તા અણુઓથી મિશ્રિત છે. જીવ પહેલા કે કર્મ પહેલા?
પ્રત્યક્ષ દેખાતા સંસારમાં ઘણી વસ્તુઓ એવી છે જે માટે પ્રશ્ન અને ઉત્તરને અવકાશ હોતું નથી. જેમકે “આંબાની ગેટલી પહેલાં હતી કે આંબાનું ઝાડ પહેલાં હતું ? આપણે માયાના ચમત્કારે પ્રત્યક્ષ જાણી રહ્યા છીએ કે ૩૩ કરોડ દેવતાઓ પણ ભેગા મળીને આંબાની ગેટલી વિના ઝાડ તૈયાર કરી શકે નહિ. તેમ આંબાના ઝાડ વિના ગોટલીને ઉત્પાદક સંસારભરમાં ગતવા છતાં પણ મળી શકે નહિ. તેવી રીતે ઇંડા વિના કબૂતર હઈ શકે જ નહિ. અને તે વિના ઇંડાનું ઉત્પાદન આકાશમાંથી પણ થઈ શકે તેમ નથી. અનાદિ કાળથી રાત્રિએ અને દિવસે થંભ્યા વિના ચાલુ જ છે. પણ કેઈની પાસે તેને નિવેડે નથી કે સૌથી પહેલું રાત્રિનું નિર્માણ થયું હશે કે દિવસનું? ઈત્યાદિક પ્રશ્નો અને જવાબમાં મંતિજ્ઞાનને ફસાવી