________________
શતક ૧૪મું : ઉદ્દેશક-૨
૨૪૫ (૭) મૂછ: પછી તે વારંવાર ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે, પગની ચાલ વક બને છે, મેઢામાંથી ફીણ અને ઉંડા નિસાસા આવે છે અને આંખે ટગરમગર ફરવા લાગે છે. ' (૮) અને બેભાન બનીને ચાદર કે રજાઈ ઓઢીને લાકડાની જેમ પડ્યો રહે છે.
(૯) અજ્ઞાન તેવી સ્થિતિમાં સામે કેણ ઊભે છે? શું કહે છે તેની પણ સ્મૃતિ તે ભાઈને રહેતી નથી.
(૧૦) અને મૃત્યુ, છેવટે કાંકરીયાના તળાવમાં કે જૂહૂના દરિયામાં અથવા ઝેરના વાટકા પીને મૃત્યુના રસ્તે પહોંચી જાય છે.
નેંધ: જ્યારે જ્યારે આ જીવાત્માએ મનુષ્ય અવતાર મેળવ્યા હશે ત્યારે અનંતાનુબંધી કષા અને મિથ્યાત્વને ગાઢ અંધકારમાં સેંકડો-હજારો કે લાખે-કડે જીવાત્માઓ સાથે નિકાચિતરૂપે વૈર-વિરોધના કર્મો બાંધ્યા હોય છે જેના કારણે વૈરમાં બંધાયેલા તે બંને ને કર્મોને વિપાક ઉદયમાં આવે છે. ત્યારે દેવગતિમાં ગયેલે તે વૈરી આત્મા મનુષ્ય અવતારમાં રહેલા શત્રુને મારે નહીં તે પણ તેના ગૃહસ્થાશ્રમના સુખ અને સુખના સાધના ભગવટામાં અંતરાયભૂત થયા વિના રહેતા નથી. આમાં આછી-પાતળા વૈરાનું બંધ હશે તે દવા દારૂ કરાવવાથી રેગ સાધ્ય બને છે અને નિકાચિત હશે તે હાડમારીઓ અસાધ્ય બને છે.
ઘણું સાધનસંપન્ન ગૃહસ્થાશ્રમીએ આપણી સામે છે કે જેમની પાસે ભૌતિક સાધનની કમી નહીં હોવા છતાં પણ