________________
શતક ૧૩ મું: ઉદ્દેશક-૭
૨૨૧ હરહાલતમાં સ્પેશી શકતું નથી. તેમ છતાં આ છઠ્ઠા ગુણસ્થાનકે પણુ આર્ના ધ્યાનની પ્રમુખતાને કઈ તત્ત્વજ્ઞાની ઈન્કારી શકવાને સમર્થ નથી અને આર્તધ્યાનની પ્રમુખતામાં કે શક્યતામાં આત્મિક કે માનસિક બળને ગમે તેટલું પાણી ચડાવીએ તે પણ તે ભાડુતી પાણી ક્યાં સુધી ટકવાનું હતું? અને ન કરે નારાયણ ને યદિ શારીરિક વેદનાઓની વૃદ્ધિમાં આંતરજીવનમાંથી ભાડુતી રંગ ઉતરી ગયો તે અનશન કરનારને કે તેના હિમાયતીને આર્તધ્યાનના ચક્રાવે ચડતાં–
“ ભૂખ રાંડ ભૂંડી આંખ જાય ઊંડી,
પગ થાય પાણી અને આંસુ આવે તાણી. ” ભૂખ અને તરસના ધ્યાનમાં ઉતરી ગયેલાનું અનશન ટક્યા પામશે ? કે ધાર્મિકતાની મશ્કરી કરાવશે?
આ બધી વાતને ખ્યાલ રાખીને આજના કરાતા અનશને પાદપેગમ કે ભક્તપ્રત્યાખ્યાનની તુલનામાં ન આવી શકે તે હકીકત છે.
'
જ શતક ૧૩ નો ઉદ્દેશો સાતમો પૂર્ણ. એ
M