________________
૨૩૯
શતક ૧૪ મું ઉદ્દેશક-૧ છે, બીજા સમયે તિરછી ગતિથી પશ્ચિમમાં જાય છે અને ત્રીજા સમયે તિરછી ગતિએ નરકના વાયવ્ય દિશામાં જાય છે.
ચાર સમયની વિગ્રહગતિ આ પ્રમાણે એકેન્દ્રિય જીવ એક સમયમાં ત્રસ નારકીથી બહાર અધેલેકની વિદિશામાંથી દિશામાં આવે છે. બીજા સમયે લેકના મધ્યમાં પ્રવેશ પામે છે. ત્રીજા સમયે ઉર્વીલોકમાં અને ચોથા સમયે નારકીમાંથી બહાર આવીને દિશામાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં આવે છે.
આ પ્રમાણે બીજા ભવને પ્રાપ્ત કરવા ની શીવ્ર ગતિની વક્તવ્યતા કહી.
નરકને યોગ્ય શું અનંતપન્નક હોય છે?
હે પ્રભે! નરકમાં જવાની લાયકાતવાળા જીવ શું અનંતપન્નક હોય છે? પરંપન્નક હોય છે? કે અનંતરપરંપરક અનુત્પન્નક હોય છે?
નરકમાં ઉત્પન્ન થવામાં સમયાદિકનું વ્યવધાન હોતું નથી તે અનંતપન્ન કહેવાય છે, બે કે ત્રણ સમયનું વ્યવધાન હોય તે પરંપરાત્પન્નક કહેવાય છે. અને જે બંને પ્રકારે નથી તે અનંતર પરંપરક અનુત્પન્નક કહેવાય છે. જુગતિથી નરકમાં જવાવાળા પહેલા ભેદમાં છે અને વક્રગતિથી બીજા ભેદમાં જાણવાં.
અનંતપન્નક નારકો ચારે ગતિનું આયુષ્ય બંધન કરતા નથી, જ્યારે પરંપરાત્પન્નક જી ચારે ગતિમાંથી મનુષ્યાયુ અને તિર્યંચાયુનું બંધન કરનારા છે તથા ત્રીજા ભેદના નારકે પણ ચારે ગતિનું આયુષ્ય બંધન કરતા નથી.