________________
૧૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે, તેના કરતાં ગૃહસ્થાશ્રમીઓને ભેગ સાથે ગની સાધના પૂરા સંસારને આશીર્વાદ સમાન બનવા પામે છે. કેમકે બ્રહ્મચર્યાશ્રમ, સન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ નામના ત્રણ આશ્રમની પવિત્રતા તથા શુદ્ધતા ગૃહસ્થાશ્રમની પવિત્રતા ઉપર નિર્ભર છે. ગૃહસ્થાશ્રમની શુદ્ધિ અને પવિત્રતા કેવળ લાખ કરોડોની શ્રીમંતાઈ કે ગમે તેવી સત્તાના ભગવટા ઉપર નથી પરંતુ પોતાના ભેગપ્રધાન જીવનમાં યદિ વેગ પ્રધાનતા કે સાધનાનું મિશ્રણ થઈ જાય કે કરી લેવામાં આવે તે સોનામાં સુગંધ ભળે છે.
યેગ એટલે કેવળ પદ્માસન વાળીને બેસી જવાનું કે હાટ હવેલી પુત્ર પરિવારને ત્યાગ કરી સર્વથા નિષ્કર્મણ્ય જીવન જીવીને પૂર્ણ કરવાનું નથી, પણ મળેલી કે મેળવેલી ભેગ સામગ્રીને મર્યાદિત કે સંયમિત કરવી તેને જ વેગ કહે છે. કેમકે જ્યાં સુધી પાપોને માર્ગ કે સર્વથા નિરર્થક પાપ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી પદ્માસન, જાપ, તપ, દાન, પૂજાપાઠ ફળદાયી નથી બનતાં માટે જીવનમાં પાપમાર્ગને (આશ્રવમાને) સંયમિત કે મર્યાદિત કરવા તે યંગ છે, જેને જૈન શાસન “ભોગપભોગ વિરમણ વ્રત” કહે છે.
માણસ માત્ર ગમે તેટલે શ્રીમંત કે સત્તાધારી હોય તે પણ તેનું પુણ્ય કે શારીરિક શક્તિ અધૂરી જ હોય છે અને તેથી જ ભેગેછા હોવા છતાં પણ તે બધી વસ્તુઓને એક સાથે ખાઈ શકતું નથી કે ખરીદી શકતું નથી. શક્તિ છે તે વસ્તુની દુર્લભતા છે, કદાચ સુલભતા હોય તે પાચનશક્તિને અભાવ હોય છે, કદાચ પાચનશક્તિ હોય તે શરીસ્તી બિમારીના કારણે ખાઈ શક નથી.