________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાષણ પહેલાંની ભાષા ભાષા નથી તેમ બેલાઈ ગયેલી પછીની ભાષા પણ ભાષા નથી. જ્યારે જે સમયે ભાષા બેલાતી હોય છે ત્યારે તે ભાષા ભાષારૂપે કહેવાય છે. જેમાં માટીના પિંડને ઘડે કહેવાતું નથી, તેમ ફૂટી ગયેલે ઘડે પણ ઘડે કહેવાતું નથી, પણ ઘડાની વિદ્યમાન અવસ્થામાં જ તેને ઘડો કહીએ છીએ. તે પ્રમાણે બેલાયા પહેલાં જેની ઉત્પત્તિ જ નથી અને બેલાયા પછી શબ્દો નાશ પામ્યા છે માટે તેને ભાષા શી રીતે કહેવાય? તેથી જે સમયે ભાષા બેલાય છે તે ભાષા છે જે પિતાને અર્થ મૂકીને નાશ પામે છે.
આ તે ગકાર છે જેને તમે પહેલા બેલી ગયા હતા.” આ બેલાતે પ્રકાર એટલા માટે અસત્ય છે કે યદ્યપિ “ગ'નું સ્વરૂપ એક સમાન છે, તે પણ પહેલા ઉચ્ચારાયેલે તે ગકાર નાશ પામ્યું છે અને અત્યારે ઉચ્ચારાતે “ગકારે પહેલા “ગકારથી સર્વથા જૂદો જ છે, માટે ઉચ્ચારણ કરાતી ભાષાને જ ભેદ થાય છે, એટલે કે મંદ પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દ અસંખ્યાત પ્રદેશાત્મક અને સ્કૂળ હોવાથી સંખ્યાત અવગાહના વણઓને પાર કરીને તેનું ભેદન થાય છે. (નાશ થાય છે) અર્થાત્ તે શબ્દરૂપ દ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દ પરિણામને ત્યાગ કરે છે, જ્યારે મોટા પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દો સૂક્ષ્મ હોવાથી તથા વધારે હોવાથી અનંતગણી વૃદ્ધિરૂપે વર્ધિત થઈને છએ દિશાઓમાં લેકાન્તને સ્પર્શ કરે છે. (અહીં કે બીજે સ્થળે પણ ભાગ્યમાણ ભાષાને ગ્રહણ કરવી.)
ભાષાના ચાર પ્રકાર–હે ગૌતમ! સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષારૂપે ભાષા ચાર પ્રકારે છે, જેનું વર્ણન પહેલા અને બીજા ભાગમાં આવી ગયું છે.