________________
૨૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
સમયે તમારી વેશ્યા કેવી રહેશે ? એ જ ખાસ મહત્ત્વની વસ્તુ છે. માટે આન્તરજીવનને કોઇ કાળે પણુ અશુદ્ધ બનવા ન દેવું, તે જ મૃત્યુ સમયે પેાતાની શુદ્ધિ દરમ્યાન તે જીવ પેાતાની મેળે જ ચારાશી લાખ યાનિના જીવાને તથા અઢારે પાપસ્થાનકોને આલેાચીને તેનું પ્રતિક્રમણ કરશે. ચાર શરણાં સ્વીકારશે અને પેાતાની યાત્રા પૂર્ણ કરશે. અન્યથા બાહ્ય જીવન ગમે તેટલું સારું હશે તે ય આંતરજીવનની મલિનતા– પાપિષ્ટતા, માયા-મૃષાવાદિતા છેલ્લા સમયે વિશ્વાસઘાત કર્યા વિના રહેવાની નથી. કેમકે બીજી બધી અવસ્થાએમાં આપણે સૌની સાથે છેતરપીંડી કરી શકીએ છીએ, પણ મૃત્યુશય્યા પર તમારું કંઈ પણ ચાલવાનું નથી. આખી જિંદગીમાં કરેલાં, કરાવેલાં કે અનુમેઠેલાં પાપા-પ્રપ ́ચા સિનેમાની ફિલ્મની જેમ તમારી આંખાની સમક્ષ ઉપસ્થિત થશે અને તમને આ ધ્યાન હું રૌદ્રધ્યાનમાં ડુબાડીને મૃત્યુ બગાડી મારશે. ઘણા જીવાને આપણે મરતા જોઇએ છીએ કે તેએ મરતી વખતે જ આંખામાંથી આંસુ ટપકાવી રહ્યા હોય છે. જેમકે
6
હવે તા ભાઈ, મારા છેલ્રો સમય છે. માટે સોપારીના ટુકડો આપ, નવા કપડાં પહેરાવ. અમેરિકાથી જમાઈ આવ્યા ૐ નહિ ? એટી આવી કે નહિ ? અને જો ! કેટમાં ચાલતા તારા કાકા સામેના કેસ ખરાખર લડજે. બીજો વકીલ કરજે અને તેને જેલ ભેગા કરાવીને જ જપજે. બીજી બધી લાખે ચેાનિના જીવાને મિચ્છામિ દુક્કડં આપજે, પરંતુ તારી ફઇબા, કાકા, જેઠાણી, સાસુ કે ફલાણા પાડોશીને તો ખમાવા પણ જઈશ મા. અને જો બેટા ! ધર્મ ધ્યાનમાં વધારે પડતું ગાંડપણ ન રાખવુ. પણ માયા ભેગી કરી હશે તેા કામ લાગશે. ઈત્યાદિ પ્રસ’ગા જે આપણી સગી આંખે જોઈ રહ્યા છીએ,
ཨཏི