________________
३४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હરણથી ફરી જાણીએ. અત્યાર સુધી આપણું મસ્તક ઉપરથી અનંતાનંત સમયને ભૂતકાળ પસાર થઈ ગયું છે અને એક એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અનંતાનંત છે. વર્તમાન કેવળ એક જ સમયને છે. આમ ત્રણે કાળના સમય કરતાં પણ હે શ્રાવિકે ! જીવરાશિ અનંતાનંતગુણ વધારે હોવાથી ક્યારે ય પણ સંસાર ખાલી થવાને નથી.”
સંસારને સર્જક કોણ?
જયંતી શ્રાવિકા ભગવાનને પૂછે છે, “હે પ્રભે! સંસારને સર્જક કેણ?
જેની ઉત્પત્તિ હોય છે, તેને નાશ થાય છે. જ્યારે સંસાર અનાદિકાળને અને અનંતકાળ સુધી રહેનાર હોવાથી કેઈનાથી ઉત્પાદ્ય નથી. સ્વયં જન્મ મરણના ચક્રે ફસાયેલો બ્રહ્મા સંસારને ઉત્પાદક કેવી રીતે બની શકે ? તેનાં જ શાસ્ત્રો કહી રહ્યાં છે કે અત્યાર સુધીના સંસારમાં આવા બ્રહ્મા અને ઈદ્રો પણ ઢગલાબંધ થયા છે અને મર્યા છે. માટે બ્રહ્મા સૃષ્ટિના સર્જક નથી. વિષ્ણુ રક્ષક હોય તે પિતાની દ્વારિકા નગરીને પણ કેમ બચાવી ન શક્યા? અને શંકર ભગવાન તે સૌને સુખ–શાંતિ આપનારા હોવાથી કેઈ કાળે પણ કેઈને મારી શકતા નથી. માટે જીવમાત્રને પિતાના શુભાશુભ કર્મો ભેગવવા પડે છે, માટે પોતાની મેળે જ છવ સંસારને સર્જક છે, રક્ષક છે અને મારક છે. લાખો-કરોડો માણસોની આંખો જ સાક્ષાત્કાર કરી રહી છે કે જીવ પોતે પિતાની મેળે જ જમે છે, જીવતે રહે છે અને મરે છે.
કદાચ કઈ કહી શકે કે, “પિતા (Father) પુત્રને જન્મ