________________
१७७
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૨
સૌધર્મ દેવલેકના ૩૨ લાખ વિમાનવાસ, સંખ્યાત અને અસંખ્યાત યેજનવાળા જાણવા. ત્રણે આલાપકે પૂર્વવત્ જાણવા અને અવધિજ્ઞાનના સ્વામી તીર્થકરનું ચ્યવન વિશેષમાં સમજવું.
કેમકે તીર્થકર વૈમાનિક દેવલેથી ચવીને માનવશરીર ધારે છે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનવામાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અસંખ્યાત નહિ પણ સંખ્યાત પ્રમાણમાં ઍવે છે; કેમકે તીર્થકરે સંખ્યાત હોય છે. ઈશાનસનકુમાર પણ પૂર્વવત્ જાણવા. માત્ર સનકુમાર નામના દેવકમાં સ્ત્રીવેદકે ઉત્પન્ન થતા નથી, તેમજ અસંજ્ઞી જીવે પણ ત્યાં હેત નથી, કેમકે આ દેવલેકમાં સંસી જીવે જ ઉત્પન્ન થાય છે અને ઉદ્વર્તિત થાય છે. | માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર પર્યત કલ્પમાં પણ પૂર્વવત્ જાણવું અને બારે કપમાં વિમાનની સંખ્યા “સલતીર્થ” સૂત્રથી જાણવી.
પહેલા બીજામાં તેજલેશ્યા, ત્રીજાથામાં અને પાંચમા કલ્પમાં પાલેશ્યા અને ત્યાર પછી શુકલેશ્યા હોય છે.
આનતમાં ૪૦૦ વિમાનવાસે સંખ્યા અને અસંખ્યાત જનના છે અને આરણ અસ્કૃતમાં ૩૦૦ વિમાનાવાસે છે. ચિવેયકમાં ૩૧૮ છે અને અનુત્તરવિમાને પાંચ કહ્યાં છે. વિશેષતા એટલી જાણવી કે અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, મતિ-અજ્ઞાની, શ્રુત-અજ્ઞાની કે વિર્ભાગજ્ઞાનીને ઉપાદ નથી, ચ્યવન નથી અને સત્તા પણ નથી.
- શતક ૧૩નો ઉદેશે બીજે પૂ. આ