________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૪
૧૮૩ દ્વેષ, પ્રપંચ આદિના કારણે મહારૌદ્ર ક ઉપાજ્ય હોય છે, તેથી અકથનીય વેદનાઓ ભેગવવાને માટે તે તે સ્થાને જન્મ લીધા વિના છૂટકારે નથી. જેમકે -અપકાય સ્થાવર નામ કર્મ એક સરખું હોવા છતાં પણ કેટલાક અપ્રકાયિક જીવ ગંગા શત્રુંજય આદિ પવિત્ર સ્થાનમાં જન્મે છે જેથી ત્યાંનું પાણી વીતરાગ દેવેના અભિષેક માટે તથા દીન-દુઃખી માણસને પીવા માટે, ન્હાવા માટે અને બીજા પણ કામમાં આવે છે. જ્યારે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલા તે જીવનાં પુણ્યકર્મો ઘણા જ ઓછા હોવાથી ત્યાંનું પાણી નારકોને માટે ગંદુ બની જાય છે જેથી નારકે બિચારા તરસ મટાડી શકતા નથી અને ઉકરડાનું પાણી ગંદકી ફેલાવવા સિવાય બીજા શા કામનું ? તેજસ્કાય છે રસઈ પકાવીને પણ સૌને તૃપ્ત કરે છે જ્યારે દવદાહ વનનાં વનને તે બાળે છે સાથોસાથ સેંકડે હજારે ત્રસ જેને પણ મતને ઘાટ ઉતારે છે. વનસ્પતિકાયના સંસારને તમે જોઈ શકે છે? સર્વતંત્ર સ્વતંત્ર કેઈની પણ બાધા વિનાના કેટલાક આંબાના, કેળ આદિનાં ઝાડે (વૃક્ષે) બગીચામાં શોભા વધારી રહ્યાં હોય છે ત્યારે અમુક સ્થળે રહેલા આંબાના ઝાડની લગોલગ બે-ત્રણ બાવળિયાનાં ઝાડ પણ ઊભેલાં હોવાથી વારેવારે તેની શૂળે આંબાના પાંદડાંઓને વીંધી રહી હોય છે. અથવા અમુક બાજુનાં પાંદડાં નિરાબાધ હોય છે તે ઝાડની બીજી બાજુના પાંદડાંઓ બાવળની શૂળથી પીડિત હોય છે, ઈત્યાદિક સંસારને જોયા પછી જ ભગવાન મહાવીરસ્વામીની વાણીની યથાર્થતા આપણે જાણી શકીએ છીએ કે, “પાપ અને પુણ્યકર્મનાં ચમત્કારે કેવા વિચિત્ર હોય છે?” જે પ્રત્યક્ષગમ્ય છે.
પ્રત્યક્ષ દેખાતા આ લેકમાં પણ ઘણું વનસ્પતિઓની