________________
૧૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સૂમ પૃથ્વીકાયિક જીવે અસંખ્યાત અવગાઢ હોય છે. જ્યાં એક હોય છે ત્યાં નિયમા અસંખ્ય હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક છે પણ અસંખ્યાત હોય છે. જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત અવગાઢ હોય છે. આજ પ્રમાણે જ્યાં અપકાયિક અવગાઢ હોય છે ત્યાં પણ ઉપરની જેમ સમજવું અને જ્યાં એક વનસ્પતિ જીવ અવગાઢ હોય છે ત્યાં બીજા અનંત જીવો પણ સમજવા. અસ્તિકાય પ્રદેશ :
હે પ્રભે! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાના જે અસંખ્યાત પ્રદેશે કહ્યા છે તેમાં પુરુષે બેસવાને, ઉઠવાને, પડખું બદલવાને કે સૂવાને માટે સમર્થ હોઈ શકે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ ! તે પ્રદેશ ઉપર કોઈ પણ પુરુષ બેસી, ઊઠી કે સૂઈ શકે નહિ. જેમકે એક રૂમમાં એક, બે, સે કે હજારે દીવડાઓ જગમગી રહ્યા છે તે હે ગૌતમ ! તે પ્રકાશ ઉપર જેમ કેઈ સૂઈ શકતું નથી, બેસી શકતું નથી, તેવી રીતે ધર્માસ્તિકાયાદિના પ્રદેશમાં પણ બેસી શકાતું નથી, યાવત્ સૂઈ શકાતું નથી. કેમકે દ્રવ્ય અને પ્રદેશે અમૂર્ત છે. માટે અમૂર્ત ઉપર મૂર્ત પુરુષ યાવત્ સૂઈ શકતા નથી પરંતુ અનન્ત જી અવગાઢ રહી શકે છે.
બહુ સમ દ્વાર વક્તવ્યતા
લેક કયા સ્થાને સમભાગવાળ છે? એટલે કે હાનિવૃદ્ધિ વિનાને છે? સંકીર્ણ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, “રત્નપ્રભાના ઉપરના