________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ દેવાના પ્રકાર સંબંધી વતવ્યતા
સંસારને પદાર્થ માત્ર ગુણપર્યાયાત્મક હોવાથી તેને સભ્ય નિર્ણય સાપેક્ષ દૃષ્ટિ વિના થઈ શકતું નથી. કેમકે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે સ્થિર છે અને ગુણપર્યાની અપેક્ષાએ તેમાં ઉત્પાદ અને વ્યય રહેલા છે. તેવી રીતે જુદા જુદા નિક્ષેપાએથી પણ વસ્તુને નિર્ણય સર્વાગી થાય છે. એક જ વસ્તુને વ્યક્તિને જુદી જુદી અપેક્ષાએ નિર્ણય કરે તેને નિક્ષેપ કહે છે.
ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિકરૂપે દેના ચાર ભેદ જ આપણે જાણતા હતા. પરંતુ અહીં બીજી બીજી અપેક્ષાએ દેવેના પાંચ ભેદ કહેવાયા છે. (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ, (૫) ભાગદેવ. હવે આ પાંચેય દેવેને આપણે વિસ્તારથી જાણીએ. (૧) ભવ્ય દ્રવ્ય દેવ:
હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવને ભવ્ય દ્રવ્યદેવ શા માટે કહે છે? અને આ પદને અર્થ શું થાય છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે, હે ગૌતમ! જે જીવે અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હેય અને અહીંથી બીજા ભવમાં દેવનિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે, યદ્યપિ અત્યારે તે દેવત્વને પ્રાપ્ત થયેલ નથી તે પણ “મવિતુમતિ ડુત મથ:' આ ઉક્તિથી ભવિષ્યમાં દેવત્વની યેગ્યતા થઈ