________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૫૧ “pઘાથથા: TUT: ” એટલે કે ગુણે હંમેશા ગુણીને આશ્રિત થઈને જ રહેલા હોય છે. માટે તે ભિન્ન પણ નથી હોતા અને અભિન્ન પણ નથી. તેથી કથંચિત્ કેઈક અપેક્ષાએ ગુણ ગુણ વિનાનો પણ હોઈ શકે છે. જેમકે અજ્ઞાનાવસ્થામાં આત્મા જ્ઞાન વિનાને નથી. અને જ્ઞાન ગુણ ગુણ એવા આત્માને છેડી રહી શકતું નથી, માટે અભિન્ન પણ છે, જેમકે લીમડાના ઝાડમાં વનસ્પતિત્વ છે પણ વનસ્પતિમાં લીમડા તત્ત્વ છે અને ન પણ હોઈ શકે. આંબાના ઝાડમાં વનસ્પતિ તત્ત્વ છે પણ લીંમડાનું તત્ત્વ નથી હોતું.
અહીં “અજ્ઞાન” શબ્દમાં અને અર્થ સર્વથા નિષેધમાં લેવાનું નથી પણ કુત્સિત અર્થમાં “નગ"ને અર્થ ઘટાડો. કેમકે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં સદાચારી-દુરાચારી, દયાળુકસાઈ, સંતેષી–લેભી કૃપણ–ઉદાર, અહિંસક-હિંસક સત્યવાદી-મૃષાવાદી આદિ માનવામાં બુદ્ધિ પણ છે અને જ્ઞાન પણ છે. પરંતુ એકમાં બુદ્ધિ અને બીજામાં દુબુદ્ધિ છે, એકમાં સમ્યફ શ્રુતજ્ઞાન છે, બીજામાં મિથ્યાજ્ઞાન છે. માટે એક જ્ઞાન તરીકે સંબધયું અને બીજું અજ્ઞાનથી સંબોધાયું.
શરાબના નશા જેવા મોહનીય કર્મના તત્રોદયમાં કે ઉદ્દીર્ણમાં જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા વધી જતાં માનવના વિચારોમાં ગંદાપણું –સંકીર્ણતા-સ્વાર્થાન્યતા આદિ વધી જતાં તેમની બુદ્ધિ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ કુત્સિત થાય છે, માટે જ તે જ્ઞાન મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન શબ્દથી વ્યવહુત થાય છે.
આંખમાં થયેલે કમળો સર્વત્ર પીળું પીળું દેખાડે છે પરંતુ સામેના માણસનાં કપડાં પીળાં નથી પણ સફેદ છે, તેવી