________________
૧૫૦
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સત્તાત્મક રૂપે આત્મા જ્ઞાની છે પરંતુ વ્યવહારાત્મક રૂપે તે ઉપરની વાત સર્વાશે કે અલ્પાશે પણ જુઠી જ પડે છે. કેમકે સંસારને વ્યવહાર કેવળ સત્તાત્મક રૂપે નહિ પણ વ્યવહારાત્મક રૂપે ચાલે છે. સુવર્ણના કંદોરામાં કે હારમાં યદ્યપિ સે ટચનું સેનું છે તે પણ તેની કિંમત સે ટચના ભાવ પ્રમાણે ક્યાં મળે છે તેવી જ રીતે આત્માનું સ્વરૂપ જ્ઞાન હોવાના કારણે તે જ્ઞાની છે એ વાત સાચી પરંતુ સત્તાત્મક રૂપે જ યદિ સંસારનું સંચાલન થતું હોય તે જ્ઞાની આત્મા, જૂઠ-પ્રપંચ, કલહ, હિંસા, મિથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા અને લેભ આદિ વૈકારિક ભાવના કારણે પિતાના સંસારવ્યવહારને કડવી તુંબડી જે શા કારણે બનાવે છે? માટે જુઠ પ્રપંચાદિ કાર્યો અજ્ઞાનજન્ય જ હોય છે અને તે અજ્ઞાન આત્માનું સ્વરૂપ ન હોવા છતાં પણ કેવળ વ્યવહારનયથી આત્મા અજ્ઞાની પણ કહેવાય છે. બસ ! એ જ સુસંગત ભાષાવ્યવહાર છે, જે સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષ દૃષ્ટિ કેળવ્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે, છતાં પણ કેઈક સમયે અજ્ઞાનને સર્વથા ક્ષય પણ થઈ શકે છે. જ્યારે જ્ઞાનને ક્ષય કઈ કાળે નથી થતો, માટે નિષેદવતી આત્મા પણ જ્ઞાની છે. યાવત સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ જ્ઞાની છે. યદ્યપિ નિગેદના જીવનું જ્ઞાન મહઅંશે ઢંકાઈ ગયેલું હોય છે, અને સિદ્ધના જીનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગદવતી જી મહદ્ અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનને એક પણ પસ્મથુનથી.