________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૧
૧૬૯ મનને પ્રાપ્ત થયેલા પંચેન્દ્રિય મનુષ્ય પાસે તલવાર, ભાલા આદિ શ કરતાં પણ “મન” મેટામાં મોટું અને ભયંકર શસ્ત્ર મનાયેલું છે. જેથી તેના પાપે મનુષ્ય ઠેઠ સાતમી નરક ભૂમિ સુધી પણ જઈ શકે છે. અસંશી જીવને મન હતું નથી, માટે તેઓ જે નરકમાં જાય તે પહેલી નરક ભૂમિથી આગળ જઈ શકતા નથી. આ બધી બાબતે ખ્યાલમાં રાખીને જ આધ્યાત્મિક મહાપુરુષે કહે છે કે “શરીર, ઇન્દ્રિયે, વેષભૂષા કે બાહ્યપુદ્ગલેના ઠઠારાઓને શણગારવા કરતાં તમે તમારા મનને જ સારું અને સાચું શિક્ષણ આપજે. જેથી સંસ્કૃત થયેલું તમારું મન તમારું કલ્યાણ કરશે. અને તમે જે સોસાયટી સંસ્થા કે ટ્રસ્ટના મેમ્બર હશે ત્યાં પણ આધ્યાત્મિકતા ઉત્પન્ન કરી શકશે.” અન્યથા કુસંસ્કારી, દુરાચારી તથા મિથ્યા મેહમાયાથી વાસિત તમારું મન તમને ઈર્ષાળુ, ક્રોધી, મૈથુની, પરિગ્રહી, માયાવી, પ્રપંચી, કલેશિત બનાવશે. જેથી તમે તમારો નાશ નેતરશો અને જે સંસ્થાના તમે સેક્રેટરી, પ્રેસિડેન્ટ, મેંબર, ખજાનચી કે સામાન્ય સંચાલક હશે તે પણ તે સંસ્થાને સર્વથા ડૂબાડી દેવાનું પાપ તમારા માથા પર આવશે. અને તે પાપોના કારણે નરક તરફ પ્રસ્થાન કરતાં તમને એકેય સંસ્થા, ટ્રસ્ટ પણ રોકી શકશે નહિ.
વાલુકાપ્રભા પૃથ્વીના ૧૫ લાખ આવાસે છે. તેમાં કાપત અને નિલ લેફ્સાના માલિકને ઉત્પાદ છે. પંકપ્રભા પૃથ્વીના ૧૦ લાખ આવાસોમાં અવધિજ્ઞાની અને અવધિ દર્શનીની ઉવર્તન હોતી નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરને જીવ અવધિજ્ઞાની હોય છે. તે માટે તેમને માટે ચેથી નરકભૂમિમાં ઉત્પાદ પણ નથી અને ઉદ્વર્તના પણ નથી.