________________
૧૪૪
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અહીં પ્રમત્ત વિશેષણ લગાડવાથી અને પ્રમત્ત ગુણસ્થાનક છઠું હોવાથી યતિ શબ્દ મુનિને જ પર્યાય ઈષ્ટ છે. માટે યતિ શબ્દના સ્થાને મુનિ શબ્દ રાખવું જોઈતું હતું જેથી મુનિમાં બધા યે જૈન સંપ્રદાયના મુનિઓને સમાવેશ થઈ જતું હતું અને આ ગુણસ્થાનકમાં કષાયેની વિદ્યમાનતા નકારવામાં આવી નથી. આમ છતાં પણ યતિ શબ્દ મૂકવામાં આવ્યું છે, તેને અર્થ એ થશે કે પોતાના સંપ્રદાય સિવાયના, પ્રમત્તયતિ શબ્દમાં બીજા બધાયે જૈન સંપ્રદાયને સમાવેશ થશે જેઓ સકષાયી હોવાથી ચારિત્રના અભાવવાળા હોય છે. તથા ચારિત્રમાં કષાય પણ હેય છે. તેના અર્થમાં સામાયિકાદિ સમ્પન્ન મુનિઓ લીધા છે એટલે સામાયિકાદિમાં સ્થાનક મુનિઓ જ આવશે. અને તેમ થતાં બીજા બધા સંપ્રદાયના મુનિ જેમાં દિગમ્બર, મંદિરમાગી, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્ધચંદ્રગચ્છ અને આગળ વધીએ તે તેરાપંથી મુનિએ પણ જતિ મહારાજ જેવા જ હોય છે.
શબ્દપ્રયોગમાં કે ભ્રમ થઈ શકે છે?
કષાયાત્મા અને વર્યાત્મા માટે જાણવાનું કે જ્યાં કષાયે છે ત્યાં વીર્યતા છે, પરંતુ કેવળી સવાર્ય હોવા છતાં પણ કષાયી નથી, એટલે વીર્યાત્માની સાથે કષાયેની ભજના જાણવી.
આત્માઓની અલ્પ બહુલતા:
(૧) ચારિત્રાત્મા સૌથી છેડા છે જે સંખ્યાત છે.
(૨) જ્ઞાનાત્માએ અનંત છે સિદ્ધ અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ.