________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧
૧૩૫ ભાવદયાના સ્વામી, જીવ માત્રના પરમ મિત્ર, માયાવીપાપી–કામી-કોધી માનવના હિતેચ્છ, કીડા-મકડા-પૃથ્વીપાણી-અગ્નિ-વનપતિ આદિજીને અભયદાન દેનારા, આંખમાં અમી, જીભમાં મીઠાશ, હૃદયમાં દયા, કરણમાં ક્ષમા અને ચાલવા ફરવામાં પૂર્ણ ઉપયોગી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! આત્મા કેટલા પ્રકારે છે ?”
જવાબમાં સ્યાદ્વાદના સ્વામી, નયવાદથી સાપેક્ષ ભાષાવાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આત્માના આઠ પ્રકાર(દ) છે. સ્થાનાંગસૂત્રમાં “gશે માયા” “આત્મા એક છે” કહીને ભગવતી સૂત્રમાં ભગવંત આત્માને આઠ પ્રકારે કહે છે. આમાં તથ્થાંશ એ છે કે નિરપેક્ષ એટલે કે દ્રવ્ય માત્રામાં અન્ય અન્ય બીજા અનંત ધર્મો(પર્યાય)ની વિદ્યમાનતા પ્રત્યક્ષ જોવાઈ રહી હોય ત્યારે તેમની અપેક્ષા રાખ્યા વિના જ કેવળ ભાષા વ્યવહારમાં “જ” “gaa” “હી' શબ્દનો પ્રયોગ કરીએ તે નિરપેક્ષ ભાષા હોવાથી જૂઠી ભાષા છે. અને આવો ભાષાવ્યવહાર માણસના અને સમાજના જીવનમાં વૈર–વિરોધકલેશ આદિ દૂષણો ઊભાં કરે છે. માટે અનંતજ્ઞાની કેવળીઓની ભાષા નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ હોય છે.” સાપેક્ષવાદઃ, ___ “एकस्मिन् वस्तुनि-पदार्थ-द्रव्ये पृथक् पृथक् अपेक्षाभिः સહિંતો તો વાત (જાર) સ સાપેક્ષ વાર: ”
એટલે કે કઈ એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાએને ખ્યાલ રાખીને પદાર્થોને નિર્ણય કરે તે સાપેક્ષવાદ છે. એટલું ધ્યાન રાખવાનું કે પંચ મહાવ્રત-જેમ સંવધર્મ