________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૭
૧૦૧ લેક અસંખ્યાત કેટકેટી છે. આ પ્રમાણે છએ દિશામાં પૃથક પૃથક્ અસંખ્યાત કેટકેટી જાણવી. આ કારણે જ લેકને અતિ ગહન, અગાધ, અપાર, અગમ્ય, અનાદિ, શાશ્વત અને અનુત્પન્ન આદિ સાર્થક વિશેષણ આપવામાં આવ્યા છે. અને જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. પગલાસ્તિકાય અને કાળ નામે છ દ્રવ્ય પણ શાશ્વતા છે, જે સંસારભરનાં કે દર્શનશાસ્ત્રનાં માન્ય જે કંઈ ત છે તે બધાએ આ દ્રવ્યમાં સમાવિષ્ટ થઈ જાય છે. - મૂળમાં તે જીવ અને અજીવનું મિશ્રણ જ સંસાર છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ સિવાય કોઈ પણ
જીવાત્મા અજીવ(પુદ્ગલ વિનાને)એકાકી નથી અને અજીવ(પુ )ને છોડીને જીવાત્માને ઉત્પન્ન થવા માટે બીજું એકેય સાધન નથી. માટે જ જીવ અને અજીવનું મિશ્રણ આ સંસાર. ઈશ્વરાદિ પર શક્તિથી સમ્પાદ્ય નથી પણ સર્વતંત્ર સ્વતંત્ર છે.
પ્રશ્ન–“હે પ્રભે! ઉપર પ્રમાણેના અતિ વિસ્તૃત આ લેકમાં એક પુદ્ગલ પરમાણુ જેટલી પણ જગ્યા છે જ્યાં આ જીવાત્મા ઉત્પન્ન ન થયો હોય કે ન મર્યો હોય ?” ' જવાબમાં ભગવતે કહ્યું કેઃ “હે ગૌતમ ! તારો પ્રશ્ન સમર્થ નથી. અર્થાત્ આવું કઈ કાળે સંભવતું નથી.” “શા માટે આવું સંભવતું નથી ?” આના જવાબમાં કહેવાયું છે કે, “આવડા મોટા લેકમાં એક પણ પ્રદેશ એ નથી જ્યાં જીવાત્મા ન જપે હોય કે ન મર્યો હોય. આ જ વાતને ઉદાહરણ આપીને સમજાવતાં પ્રભુએ કહ્યું કે, કોઈ એક માણસ ૧૦૦ બકરા અને બકરીઓ આરામથી સમાઈ શકે તે એક વિશાળ વાડે બનાવે છે. તેમાં જઘન્યથી બે -ત્રણ અને વધારેમાં