________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૮
૧૧૭ જાય છે. તે મણિ કે વૃક્ષમાં રહેલા જીવને પૂર્વભવીય મિત્ર દેવ ત્યાં આવીને તે મણિની અને વૃક્ષની પૂજ-સત્કાર, સન્માન સાથે ચંદનથી પણ પૂજા કરે છે. વૃક્ષના મૂળમાં ચબુતરો વિશેષ કરી લીંપી ઝુંપીને પણ તે ઝાડને મહિમા વધારે છે. આ કારણે જ કદાચ મણિઓને મહિમા વધ્યું હોય તેમ લાગે છે. અરિહંતદેવેની અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા કુંભસ્થાપનામાં પંચરત્નની પોટલી તે આજે પણ વપરાય છે. તથા અમુક ગ્રહો નડતા હોય તે અમુક અમુક મણિને વીંટીમાં નાંખીને આજે પણ પહેરે છે. તેમ છતાં આ રિવાજમાં પણ ગતાનગતિકતા જોવામાં આવે છે. કેમકે બધા મણિએ કંઈ તેવા પ્રકારના ભાગ્યશાળીઓના શરીર પર હોતા નથી.
છાની સદગતિ અને દુર્મતિ શા કારણે?
સંસારનું સર્જન, પરિસ્થિતિ અને હવામાન આદિ ના શુભ અશુભ કર્મોને આધીન છે. તેવી રીતે મરણોત્તર ગતિ પણ કર્મને આધીન છે. જ્યાં સુધી કર્મોને એક પણ અણુ જીવના પ્રદેશ સાથે છે ત્યાં સુધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ પણ અનિવાર્ય છે.
પુણ્યકર્મના ફળ સ્વરૂપે જીવનમાં સુખ-શાંતિ સમાધિ, પ્રસન્ન ચિત્ત આદિ હેય તે સદ્ગતિ અને તેનાથી વિપરીત દુર્ગતિ જાણવી. અર્થાત્ દુઃખ-દારિદ્રય, ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિની વેદનાઓ જ્યાં પ્રચુર માત્રામાં ભેગવવી પડે છે તે દુર્ગતિ છે, જેમાં નારક અને તિયના અવતાર સમજવા.
નરક ગતિમાં સ્વાભાવિકરૂપે દુઃખની પરંપરા છે અને