________________
'
' .
.
' S
1
.
શતક ૧૨ મું ઉદ્દેશક-૨
વ્યવહારમાં હિંસ, અસત્ય, કૂર કમિંતા અને માયા-પ્રપંચમાં રહેલા હોય તેવા માણસે નિર્બળ, અશક્ત રહેવામાં જ તેમનું કલ્યાણ છે, જેથી ઘણું હિંસાદિ પાપોમાંથી બચી શકશે. જે ભાગ્યશાળીઓ અહિંસક છે, સત્યવાદી છે, પોપકારી છે અને પારકાને માટે જીવનારા છે, તેઓ મને વચન તથા કયાથી શક્ત બને તે સારું છે.
વ્યવહારદષ્ટિએ જાગૃત અને સશક્ત હોવા છતાં પણ જેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં વિનય નથી, બીજાને પોતાની વસ્તુ આપવાની વૃત્તિ નથી, અથવા ઘરના ખૂણામાં બેસીને “સંસારમાં મારે કઈ શત્રુ નથી, હું પણ કેઈને શત્રુ બનવા માંગતે નથી. ઘેર ઘેર દૂધ રોટલાનું ભેજન સૌને પ્રાપ્ત થાઓ. સંસારમાં કઈ ભૂપે તરસ્ય અને ઠંડીમાં ધ્રુજતા તથા વિને મોતે મરનારે કઈ હોય નહિ.” આવી પવિત્ર અને પૈસા ખર્ચા વિનાની ભાવના પણ ભાવી શકતું નથી તેવા જીવની જાગરણશીલતા અને શક્તિઓ કેવળ પાપત્પાદન પાપવર્ધન અને ઉદરભરણ સિવાય બીજા ક્યા કામે આવશે ? માટે જાગરણશીલતા સાથે ધાર્મિકતા, પરમદયાળુ પરમાત્મા સાથે તાદાભ્યતા અને ઉદ્દાત્ત ભાવના હોય, તેમ શરીરની સશક્ત અવસ્થા સાથે સદાચાર, પોપકાર અને પરસ્ત્રીત્યાગની ભાવના હોય તે તેવા ભાગ્યશાળી જીની પ્રશંસા દેવે પણ કરશે, કિન્નરીઓ પણ તેમનાં ગીતડાં ગાશે અને સંસારની સ્ત્રીઓ પણ રાસગરબા ગાશે.
' ને દક્ષતા મળે તે સારું કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂં? 1 - હવે જયંતી શ્રાવિકાને અંતિમ પ્રશ્ન એ છે કે હે