________________
४४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આપ ફરમાવે કે-“શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છ કેવા કર્મ બાંધે ?”
જવાબમાં ભગવંતે કહ્યું કે, “હે જયંતી, જેમ કોધાદિને માટે કહ્યું તેમ ઈન્દ્રિયને વશવતી જેને માટે પણ સમજી લેવું. એટલે કે તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દૃઢ બંધનવાળા કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે.
શાસ્ત્રોમાં ઈન્દ્રિયને ઘોડાની ઉપમા આપવામાં આવી છે. શરીરરૂપી રથ ઘડા જેવી પાંચે ઈન્દ્રિય સાથે સંલગ્ન હોવાથી આત્મારૂપી રથકાર (ગાડી હાંકનાર) જ્યારે જ્યારે કષાયોને અધીન, વિષય વાસનામાં મસ્ત, જૂઠ પ્રપંચને ખેલાડી અને મેહરૂપી મદિરાપાનથી છકીને પાગલ જેવું બની જાય છે ત્યારે ઇન્દ્રિયરૂપી ઘેડાઓ પણ ભારે તેફાનમાં આવીને શરીરરથની સ્થિતિને સાવ બેડેળ કરી નાખે છે. અને એક વાર, બે વાર કે ત્રણ વાર ઈન્દ્રિયાદિના ગુલામ બનેલા આત્માને પુનઃ શેઠ બનવામાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડે છે, જમ્બર પુરુષાર્થ ખેડ પડે છે, જે સમ્યગજ્ઞાનની લગામ અને સમ્યફચારિત્રની ચાબુક વિના સર્વથા અશક્ય છે.
સંસારના અનંતાનંત જી કરતાં કણેન્દ્રિય પ્રાપ્ત પંચેન્દ્રિય જીવોની સંખ્યા થડી જ હેય છે, કેમકે અગણિત પુણ્યકાર્યોને લઈને જીવાત્માને કણેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંક્ષિત બને છે. માણસ ડે વિચાર કરે કે જેની પ્રાપ્તિમાં અગણિત પુણ્યકર્મો કામ કરી રહ્યાં હોય તેવું પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી તેને દુરૂપયોગ શા માટે કરું? સંભવ છે કે જીવાત્માને આવા