________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૪ અવસ્થાને ભેગવનારા માતા-પિતા હોવા છતાં પણ જે સમયે પૂર્વભવને વૈરાનુબંધવાળો જીવ માતાની કુક્ષિમાં આવવાને હોય છે તે સમયે શુક્ર અને રજનાં પુદ્ગલેનું પરિણમન (સંમિશ્રણ) તામસિક કે રાજસિક હોવું જોઇશે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે માતા-પિતા સશક્ત હોય, મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા હોય અને સાથોસાથ સમતા અને સાત્વિક વૃત્તિવાળા હોય તેમ છતાં પણ ગર્ભાધાનના સમયે કુક્ષિમાં આવનારા જીવાત્માનાં કર્મોને કારણે જ માતાપિતાની સમતા-સાત્વિકતા તેટલા સમય પૂરતી તિરભૂત થાય છે, પરિણામે મૈથુન કર્મમાં બલાત્કાર-ક્રોધભાવ-વૈરભાવ, ભયગ્રસ્તતાને પ્રાદુર્ભાવ થાય છે અથવા તે સમયે મિથુનકર્તા પિતાને વૈર ભય-કોધ કે આર્તધ્યાન વર્તતું હોવાથી તેનાશુકનાં પરમાણુઓ પણ તામસિક અને રાજસિક બનીને પતિત થાય છે. અથવા પિતાના શરીરમાં રહેલા શુક કે રજના ખજાનામાં જે તામસિક ભાવથી કે તામસિક રાજસિક પદાર્થોના ભેજનથી જે શુક કે રજ બન્યું હશે તે સમયે તેમનું જ મિશ્રણ થશે, જ્યાં તે જીવાત્માને જન્મ લેવાને છે. માટે તે સમય પૂરતા તે માતા-પિતા પણ વૈભાવિક ભાવમાં ઓતપ્રેત બની મિથુનસેવી બનશે અને તે જીવ ગર્ભમાં આવશે. કારણકે વેરઝેર બાંધેલા કે મનુષ્ય અવતારથી મરીને નરક તિર્યંચ ગતિમાં જનાર જીવાત્માઓ નિયાણામાં ફસાઈ ગયેલા હોવાથી સાત્વિક શુક્ર કે રજના મિશ્રણમાં જન્મ લઈ શકતા નથી.
ત્રિપૃષ્ટ વાસુદેવને આત્મા જે મહાવીર સ્વામીને જ આત્મા છે તે જ્યાં સુધી પિતાના માતા-પિતા સદાચારી અને નીતિ ન્યાયના રસ્તે હતા ત્યાં સુધી તેમની ખાનદાનીમાં જન્મ્યા નથી, કેમકે તેવા સમયે તે મોક્ષગામી કે સ્વર્ગગામી અચલ