________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૬
૯૧ ગળી જનાર) અને ગ્રામ્ય (બીજા દ્વારા ગળાઈ જનાર) ભાવ હોય ત્યાં તે તે વાતની સંભાવના હોઈ શકે છે પરંતુ રાહુ અને ચંદ્રનાં વિમાનમાં ગ્રામ્ય ગ્રાસક ભાવ નથી પણ આછાદ્ય આછાદક ભાવ જ સંભવી શકે છે.
સૂર્ય ચંદ્રનું ગ્રહણ શું છે?
આ વિષયમાં હું એમ કહું છું, પ્રતિપાદન કરું છું, પ્રજ્ઞાપિત કરું છું, પ્રરૂપિત કરું છું કે, “રાહુ” એ દેવ છે જે મહાવ્યાદ્ધિ, મહાવૃતિ, મહાબળ, મહાયશ અને મહાસુખને માલિક છે, જે ઉત્તમોત્તમ વસ્ત્રો, માળા, ચંદન આદિ સૌગંધિક પદાર્થોને તથા શ્રેષ્ઠ આભરણેને ધારણ કરનાર છે. તેનાં નવ નામે છે : છંગારક, જટિલિક, સ્તંભ, ખરક, દર, મકર, મસ્ય, કચ્છપ અને કૃષ્ણસર્પ તથા પાંચ વર્ણનાં વિમાને છે.
૧. કૃષ્ણ વિમાન–જે અંજન એટલે કાજલ કે મેશના રંગનું છે તે.
૨. નીલ વિમાન—લીલી તુંબડીના રંગનું. ૩. લાલ વિમાન–મજીઠ જેવી કાન્તિવાળું. ૪. પિીત વિમાન–હળદરના રંગવાળું. ૫. શુકલ વિમાન–ાખના જેવા રંગવાળું.
હવે જ્યારે રાહુદેવ પિતાના કૃષ્ણ વિમાનમાં બેસીને ઝડપથી જાય છે અને પાછા ફરે છે, વિક્રિયા અને કામક્રીડા કરે છે ત્યારે અસ્વાભાવિક, અતિ ત્વરાયુક્ત ગતિ હોય છે એટલે કે તે સમયે વિસંસ્થૂલ ચેષ્ટાને માલિક હોવાથી પિતાના વિમાનને બરાબર ચલાવી શકતા નથી તે કારણે પૂર્વ દિશામાં